સંબિત પાત્રાએ કહ્યું કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ તેમના ચારિત્ર્યને દર્શાવે છે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન બધાએ સાંભળ્યું છે. હવે કર્ણાટક કોંગ્રેસના નેતા બીએસ ઉગ્રપ્પાએ મોદીની તુલના ભસ્માસૂર રાક્ષસ સાથે કરી
કર્ણાટકઃ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું છે. તેમને કહ્યું કે કોંગ્રેસ અને આપના નેતાઓ અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને મોદીને ગાળો આપી રહ્યાં છે. કર્ણાટકના એક અનુભવી કોંગ્રેસીએ મોદીજીને ભસ્માસૂર કહી દીધા છે. કોંગ્રેસીઓનું નિવેદન તેમની નિમ્ન કક્ષાની માનસિકતા દર્શાવે છે.
તેમણે કહ્યું કે પીએમ મોદી મહત્વના પદ પર છે, તેમને નીચ, ભસ્માસૂર અને ખબર નહીં શું-શું કહેવામાં આવે છે. તેનાથી કોંગ્રેસીઓની વિચારસરણી ખબર પડે છે.' જે રીતે કોંગ્રેસના નેતાઓ દેશના વડાપ્રધાન માટે અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યાં છે તે લોકો દરરોજ ટીવી પર જોઈ શકે છે અને જનતા પણ તેમને જવાબ આપી દેશે. દેશના વડાપ્રધાનને ગાળો આપીને કોંગ્રેસે પોતાને ગાળો આપતી પાર્ટી તરીકે સ્થાપિત કરી છે.
સંબિત પાત્રાએ કહ્યું કે એક પક્ષના નેતાઓ દ્વારા બીજા પક્ષના નેતાઓ માટે કરવામાં આવતી ટિપ્પણીઓ તે પક્ષના ચારિત્ર્યને દર્શાવે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન બધાએ સાંભળ્યું છે. તેમને મોદીની રાવણ સાથે સરખામણી કરી હતી. હવે કર્ણાટક કોંગ્રેસના નેતા બીએસ ઉગ્રપ્પાએ મોદીની સરખામણી ભસ્માસૂર રાક્ષસ સાથે કરી છે, સોનિયા ગાંધીએ તો મોદીને મોતના સોદાગર કહ્યાં હતા. હવે પાત્રાએ ગુજરાત અને દેશની જનતાને લોકશાહી ઢબે કોંગ્રેસ પાર્ટીને ખતમ કરવાની અપીલ કરી છે.
કોંગ્રેસે મોદીને 100 ગાળો આપી દીધી છે. હવે જનતા જ કૃષ્ણ છે. જનતા કૃષ્ણ બનીને ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસને લોકશાહી ઢબે જવાબ આપશે. એ વ્યક્તિ ક્યારેય રાક્ષસ ન હોઈ શકે જેને મા નર્મદાનું પાણી સૌરાષ્ટ્રમાં પહોંચાડ્યું.' ગાળો આપનાર નહીં કોવિડમાં રસી આપનાર આ મહાન નેતા છે.
પાત્રાએ આમ આદમી પાર્ટીને પણ આડે હાથ લીધી હતી. AAP પર નિશાન સાધતા તેમણે કહ્યું કે મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ જુઠ્ઠાણું ફેલાવવાનું કામ કરે છે.આ જુઠ્ઠાણાનો પર્દાફાશ થવો જોઈએ. આવનારા સમયમાં મનીષ સિસોદિયાને ચોક્કસ ફટકો પડશે. જેમણે એક્સાઇઝ પોલિસીને નજીકથી જોઈ છે તેઓ ચોક્કસપણે સહમત થશે કે સિસોદિયા ગુનેગાર છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ કન્નૌજથી આજે ભરશે ઉમેેદવારી પત્રક- Gujarat Post | 2024-04-25 09:56:21
હવે ગૃહમંત્રાલયનો નકલી અધિકારી ઝડપાયો, પોલીસે એન્જિનિયરની કરી ધરપકડ | 2024-04-25 09:27:03
રાંચીમાં બર્ડ ફ્લૂનો કહેર, તપાસમાં પુષ્ટિ થયા બાદ 2196 પક્ષીઓનાં મોત | 2024-04-25 09:05:28
પટનામાં JDU નેતા સૌરભ કુમારની ગોળી મારીને કરાઇ હત્યા, સ્થાનિક લોકોમાં હોબાળો | 2024-04-25 08:39:29
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
ગુજરાતની આ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવારે પાર્ટી છોડી દીધી, તેમના પત્નીનું પણ રાજીનામું- Gujarat Post | 2024-04-24 21:51:35
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખના વાણી વિલાસથી ક્ષત્રિયોએ પક્ષ સાથે છેડો ફાડ્યો- Gujarat Post | 2024-04-24 17:36:01
કારમાંથી મળ્યાં નોટોના બંડલ, 1.3 કરોડ રોકડા, 4 કિલો ચાંદી સાથે દંપત્તિ ઝડપાયું- Gujarat Post | 2024-04-24 16:42:34
Fact Check: શું પીએમ મોદી કોઈ યોજના હેઠળ વિદ્યાર્થીઓને લેપટોપ આપી રહ્યાં છે? AICTEએ જણાવ્યું સત્ય | 2024-04-23 16:17:32
ગેનીબેનની ચીમકી...જો પોલીસવાળા ગામમાં આવીને હેરાન કરતા હોય તો તેમને સબક શિખવી દઇશું | 2024-04-24 17:28:29
હવે થશે જોવા જેવી ! પ્રતાપ દુધાતે કહ્યું સુરતમાં ગદ્દાર નીલેશ કુંભાણી રહેશે કે પછી હું રહીશ - Gujarat Post | 2024-04-24 17:07:37