Thu,25 April 2024,6:00 pm
Print
header

રાહુલ ગાંધીએ કહ્યું રેપ કેપિટલ બન્યું ઇન્ડિયા ! પહેલા કાશ્મીર મામલે અને હવે બળાત્કાર મુદ્દે આ શું બોલ્યાં રાહુલ ?

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અગાઉ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યાં પછી કહ્યું હતુ કાશ્મીરમાં લોકો મરી રહ્યાં છે, તેમના આ નિવેદનનો પાકિસ્તાને યુનોમાં હવાલો આપીને ભારતને બદનામ કરવાનો નાપાક પ્રયાસ કરાયો હતો, હવે ફરીથી રાહુલ ગાંધીના એક નિવેદને વિવાદ ઉભો કર્યો છે, હૈદરાબાદ અને ઉન્નાવ રેપની ઘટનાઓ દેશ માટે કલંકરૂપ ચોક્કસથી છે, પરંતુ તેના માટે રાહુલે તો ભારતને રેપ કેપિટલ ગણાવી દીધું, કહ્યું કે ભારત દુનિયામાં બળાત્કારની રાજધાની બની ગયું છે. 

રાહુલ કહ્યું કે ઉન્નાવાની પીડિતાના મોત પછી તેઓ તેમના પરિવાર સાથે છે, આ ઘટનાથી હું આક્રોશમાં છું, આપણે મહિલાઓને સુરક્ષા નથી આપી શકતા તે આપણી કમનસીબી છે, જો કે દેશ આખો રાહુલની આ વાતને સમર્થન કરી રહ્યો છે, મહિલાઓની સુરક્ષા આપણી પ્રાથમિક જવાબદારી છે, પરંતુ તેના નામે હવે રાજનીતિ કરને ભારતને બળાત્કારની રાજધાની કહેવી કેટલું યોગ્ય છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch