નવી દિલ્હીઃ કોંગ્રેસના સૂત્રોને ટાંકીને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. જો રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બનવાની ના પાડે છે તો પાર્ટી અશોક ગેહલોતને કોંગ્રેસ અધ્યક્ષ બનાવી શકે છે. પાર્ટી સૂત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધી હજુ પણ કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળવામાં ખચકાટ અનુભવી રહ્યાં છે. સંગઠનાત્મક ચૂંટણીઓની પ્રક્રિયા ચાલી રહી છે, સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં નવા પ્રમુખની ચૂંટણી માટે અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે, જો કે રાહુલ ગાંધીએ અત્યાર સુધી કોઇ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં અધીર રંજન ચૌધરીના સવાલ પર રાહુલ ગાંધીએ તેમને અધ્યક્ષ પદ સંભાળવાની સંભાવના પર વિચાર કરવા માટે કહ્યું હતું.
એટલા માટે પાર્ટી અશોક ગેહલોતના નામ પર વિચાર કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં પાર્ટીના મુદ્દાઓમાં તેમની સક્રિયતા વધી ગઇ છે. જો કે અશોક ગેહલોત રાજસ્થાનના સીએમ પદ છોડવા માંગતા નથી. પરંતુ પાર્ટીમાં મંથન ચાલુ છે અને રાહુલ ગાંધીને મનાવવાનો પ્રયાસ થશે. જો રાહુલ ગાંધી ના પાડે છે તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને અધ્યક્ષ બનાવવામાં આવે તેવી શક્યતા છે.
નોંધનિય છે કે હાલમાં સોનિયા ગાંધી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષા છે અને પાર્ટીમાં કાયમી અધ્યક્ષની માંગ ઉઠી છે. જ્યારે અશોક ગેહલોત ગાંધી પરિવારના વિશ્વાસુ અને વફાદાર પણ છે, જેથી તેમને આ મોટી જવાબદારી સોંપાઇ શકે છે.https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38