Fri,19 April 2024,8:19 am
Print
header

ગુજરાતમાં રાહુલ ગાંધીનો રાજકીય દાવ, તમે ભાજપ માટે વનવાસી અમારા માટે આદિવાસી- Gujarat Post News

રાજકોટઃ ગુજરાતની ચૂંટણીના પ્રચારથી દૂર રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હવે સક્રિય થઇ ગયા છે. આજે તેમણે રાજકોટ અને સુરતમાં જનસભા સંબોધી હતી. તેમને આદિવાસી વોટબેંક પર ભાર મુક્યો છે.તેમનું આખું સંબોધન આદિવાસીઓ ભાઇઓ બહેનો પર જ હતુ.

રાહુલ ગાંધીનો આદિવાસીઓ પ્રત્યેનો પ્રેમ

રાહુલ ગાંધીએ આદિવાસીઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આદિવાસીઓ હંમેશા અહીં રહેતા આવ્યાં છે અને તે જ અહીંના સાચા માલિક છે. ભાજપના લોકો તમને વનવાસી કહે છે, તેઓ તમને આદિવાસી નથી કહેતા. તેઓ એમ પણ નહીં  કહે કે આ જમીન તમારી માલિકીની છે. તેઓ કહે છે કે તમે જંગલમાં રહો છો. તેઓ નથી ઇચ્છતા કે તમે શહેરી વિસ્તારોમાં રહો, તમારા બાળકો ઇજનેર કે ડૉક્ટર બને છે.આ લોકો તમારી જમીન પર કબ્જો કરવા માંગે છે. જો આમ જ ચાલતું રહ્યું તો આગામી 10 વર્ષમાં આ તમામ જમીનો ઉદ્યોગપતિઓના હાથમાં જતી રહેશે. તમારી પાસે રહેવા માટે કોઇ જગ્યા પણ નહીં રહે. 

રાહુલે રેલીમાં એ વાત પર પણ ભાર મૂક્યો કે કોંગ્રેસ જ આદિવાસીઓની રક્ષા માટે વન અધિકાર અધિનિયમ લાવી છે. અમે તમારી જમીન પાછી આપવા માટે તૈયાર હતા. પરંતુ ભાજપે આ કાયદાને ક્યારેય લાગુ થવા ન દીધો. રાહુલ ગાંધીએ પોતાના દાદી ઈન્દિરા ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો હતો.  તેમને કહ્યું કે બાળપણમાં તે એક પુસ્તક વાંચતા હતા - તેંડુ - આદિવાસી બચ્ચાં. તેમને તે પુસ્તક દ્વારા જાણવા મળ્યું કે આદિવાસીઓ જ આ દેશના સાચા માલિક છે.   

કોંગ્રેસની નજર પણ ભાજપની જેમ જ આદિવાસી મતો પર છે, પીએમ મોદીએ પણ આદિવાસી વિસ્તારમાં રેલી શરૂ કરી દીધી છે, અગાઉ અરવિંગ કેજવારીલે પણ આદિવાસીઓને આકર્ષવા અનેક વાયદાઓ કર્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch