Wed,24 April 2024,7:00 am
Print
header

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે નિધન, એઇમ્સમાં લીધા અંતિમ શ્વાસ- Gujarat Post

(file photo)

10 ઓગસ્ટે જીમમાં કસરત કરતી વખતે આવ્યો હતો હાર્ટ અટેક

નિધનના સમાચાર મળતાં ફેન્સમાં વ્યાપી ગયો શોક  

નવી દિલ્હીઃ જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે નિધન થયું છે. દિલ્હી એઇમ્સ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 41 દિવસથી AIIMS હોસ્પિટલમાં દાખલ હતા. ડોકટરોની ટીમ તેમને સાજા કરવા માટે સતત પ્રયાસો કરી રહી હતી. તેમના લાખો ચાહકો દિવસ-રાત તેમના માટે પ્રાર્થના કરતા હતા.

દેશના સૌથી લોકપ્રિય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ 10 ઓગસ્ટથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ હતા. જીમમાં કસરત કરતી વખતે તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેના પછી ડોક્ટર્સ રાજુનો જીવ બચાવવા સતત પ્રયાસ કરી રહ્યાં હતા. રાજુ 2014માં ભાજપમાં જોડાયા હતા. રાજુ શ્રીવાસ્તવની એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી.

AIIMSમાં દાખલ રાજુ શ્રીવાસ્તવને પાઈપ દ્વારા દૂધ અને અન્ય પ્રવાહી આપવામાં આવતુ હતુ, દરમિયાન તેમના અંગોમાં સુધારો થયો છે, પરંતુ તેમનું મગજ યોગ્ય રીતે કામ કરતું ન હતું. આજે તેમના નિધનના સમાચાર મળતાં ફેન્સ શોકમાં ગરકાવ થઈ ગયા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch