રાજકોટ: રાજ્યમાં 108 એમ્યુલન્સ સેવાને સૌથી ઝડપી માનવામાં આવે છે, તેના લીધે અનેક લોકોના જીવ પણ બચી ગયા છે, પરંતુ ઘણી વખત તેમાં બેદરકારી સામે આવી છે, આ વખતે 108 સેવા 45 મીનિટ મોડી આવતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના માસિયાઇ ભાઇનું મોત થઇ ગયું છે, 4 ઓક્ટોબરના રોજ વિજય રૂપાણીના માસીના દિકરા અનિલ સંઘવીનું મૃત્યું થયુ હતુ, અનિલભાઇને શ્વાસની બીમારી થતા પરિવારે 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો, જેમાં 15થી 20 મીનિટ સુધી ફોન વ્યસ્ત આવતો હતો, જ્યારે ફોન લાગ્યો તો ઓપરેટરે સરનામું ખોટું લખતા એમ્બ્યુલન્સ બીજા કોઇ સરનામે પહોંચી ગઇ હતી, એમ્બ્યુલન્સ 45 મિનિટ બાદ અનિલભાઇના ઘરે આવી ત્યા સુધીમાં તો તેમનું મોત થઇ ગયું હતુ, 108 ના અધિકારીઓએ જણાવ્યું છે કે જીપીએસમાં ખામીને કારણે તેઓ અનિલભાઇના ઘરે મોડા પહોંચ્યાં હતા.
108ની એમ્બ્યુલન્સે 13 વાર લેન્ડલાઇન પર ફોન કર્યો હતો
રાજકોટ કલેક્ટર રામ્યા મોહને પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે કે લેન્ડમાર્ક આપવાની ભૂલને કારણે 108 બીજા સરનામા પર પહોંચી ગઇ હતી, તેમણે લેન્ડલાઇન પરથી ફોન કર્યો હતો માટે લોકેશન મળ્યું ન હતુ, જે લેન્ડલાઇનથી ફોન કરવામાં આવ્યો હતો, તે ફોન પર 108 દ્વારા 13 વખત કોલ કરાયો હતો, પરંતુ ફોન લાગ્યો જ ન હતો, 108ને 6.40 કલાકે કોલ મળ્યો હતો અને 6.46 વાગ્યે એમ્બ્યુલન્સ નીકળી ગઇ હતી, અને 7.21 કલાકે પાછી આવી ગઇ હતી. એટલે કુલ 39 મિનિટમાં પાછી આવી ગઇ હતી, દર્દીના સગાએ લેન્ડમાર્ક તરીકે મોદી સ્કૂલનું સરનામું આપ્યું હતુ અને 108ની ટીમે બાજુમાં સૌરાષ્ટ્ર કલા કેન્દ્રથી 13 વખત ફોન કર્યો હતો, જો કે ફોન ન લાગતા સરનામું શોધવામાં સમય ગયો હતો.
વિજય રૂપાણી દશેરાના દિવસે તેમના માસીના દિકરા અનિલભાઇના ઘરે પહોંચ્યાં હતા, ત્યારે તેમને આ સમગ્ર ઘટનાની જાણ થતા જ તેમને રાજકોટ કલેક્ટરને તપાસના આદેશ આપીને રિપોર્ટ કરવા કહ્યું હતુ, જેમાં પ્રાથમિક તપાસ પૂરી થઇ છે અને હજુ આ કેસની તપાસ કરવામાં આવશે.
બેદરકારી કોની? અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07