Thu,18 April 2024,10:29 pm
Print
header

વિજય રૂપાણીએ કોંગ્રેસની આબરૂ કાઢી નાખી, કોંગ્રેસીઓ જયપુરમાં સ્વીમિંગ પુલમાં દારૂ પીને ધુબાકા મારતા હતા !

અબડાસાઃ 8 વિધાનસભા પેટાચૂંટણીના જંગમાં હવે સીએમ વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતાઓ પર અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર કરી દીધો છે, અબડાસાના ભાજપના ઉમેદવાર પદ્યુમનસિંહ જાડેજાના પ્રચારમાં નલિયામાં સંબોધન કરવા પહોંચેલા વિજય રૂપાણીએ કહ્યું કે પક્ષપલટાની વાતો કરનારી કોંગ્રેસ પહેલા પોતાના ઘરમાં જુએ પછી બીજા પર ખોટા આક્ષેપ કરે, તેમને સીધું જ કહી દીધું કે કોંગ્રેસના નેતાઓ જ્યારે મતો માંગવા આવે ત્યારે તેમને પૂછજો કે કોરોનાકાળમાં તમારા ધારાસભ્યોએ જયપુરના રિસોર્ટના સ્વીમિંગ પુલમાં દારૂ પીને ધુબાકા માર્યા હતા કે નહીં !

રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે તેના ધારાસભ્યોને જુદા જુદા રિસોર્ટમાં રાખ્યાં હતા આ મામલે હવે સીએમ રૂપાણીના સૌથી મોટા નિવેદનથી કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે, અત્યાર સુધી દારૂબંધીનો ખાસ અમલ ન થવા મામલે રૂપાણીને જવાબદાર ગણતી કોંગ્રેસને ચૂપ કરાઇ દેવામાં આવી છે, જોવું રહ્યું કે કોંગ્રેસ આ મામલે શું પ્રતિક્રિયા આપે છે. 

સાથે જ વિજય રૂપાણીએ કહ્યું કે કોરોનામાં કોંગ્રેસ શાસિત એક પણ રાજ્યએ 25 ટકા સ્કૂલ માફી નથી આપી અને અમે આ કરી બતાવ્યું છે. તેમને ખેડૂતો માટેની યોજનાઓ ગણી બતાવી અને કોંગ્રેસનું ખરાબ શાસન પણ યાદ કરાવ્યું. વિપક્ષ નેતા પરેશ ધાનાણીને જવાબ આપતા કહ્યું કે આ મહાશય બોલી રહ્યાં છે કે ગાંડો ઉમેદવાર ચાલશે પરંતુ ગદ્દાર નહીં ચાલે, આ મામલે સીએમે કહ્યું કે આખી કોંગ્રેસ જ ગાંડી થઇ ગઇ છે. અમે તમને જણાવી દઇએ કે કોંગ્રેસમાંથી ભાજપમાં જઇને ઉમેદવાર બનેલા નેતાઓને ધાનાણીએ ગદ્દાર કહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch