Mon,13 April 2026,1:48 pm
Print
header

ચાર મુખ્યમંત્રીઓ સાથે કામ કરનારા કે.કૈલાશનાથની ગુજરાત સરકારમાંથી વિદાય, CM ના નવા મુખ્ય અગ્ર સવિચના નામ પર ચર્ચાઓ તેજ

  • Published By
  • 2024-06-29 18:52:17
  • /

CMO માં ઘણા લાંબા સમય સુધી સંભાળી જવાબદારી

અનેક પ્રોજેક્ટમાં મહત્વની જવાબદારી સંભાળી

આવતીકાલે 30 જૂને વિદાય સમારંભ યોજાશે

ગાંધીનગરઃ વર્ષો સુધી ગુજરાતમાં અનેક મુખ્યમંત્રીઓ સાથે કામ કરનારા કે. કૈલાશનાથનનો આવતીકાલે સરકારમાં અંતિમ દિવસ છે. તેઓએ આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ સહિત ચાર જેટલા મુખ્યમંત્રીઓ સાથે કામ કર્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયનાં ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે.કૈલાશનાથનનો છ માસનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે અને તેમને એક્સટેન્શન અપાયું નથી. તેઓ કદાચ દિલ્હી પણ જઇ શકે છે. તેઓ મોદીના ઘણી નજીકના અધિકારી છે.

કે.કે આમ તો 2013 માં રિટાયર્ડ થયા હતા પરંતુ સરકારે 11 વર્ષ સુધી તેમની સેવા લીધી. કે.કૈલાશનાથન 1979 ની બેચના આઇએએસ અધિકારી છે. તેમને ગુજરાત સરકારના મહત્વના અનેક પ્રોજેક્ટમાં કામ કર્યું છે. હવે તેમની જગ્યાએ કોની નિમણૂંક થશે તેના પર સૌ કોઇની નજર છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch