સાબરકાંઠાઃ પ્રાંતિજ તાલુકાના મજરા ગામે જૂથ અથડામણ થઈ હતી. પથ્થરમારામાં 20 લોકોને ઈજા પહોંચી હતી. તેમજ અનેક વાહનોમાં તોડ ફોડ અને આગચંપી કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા અને સ્થિતી પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
આ અંગે મળતી માહિતી પ્રમાણે ધાર્મિક કાર્યક્રમના આયોજનમાં વિવાદને લઈને બે જૂથો આમને સામને આવ્યાં હતા. તેમાં વિવાદ ઉગ્ર બનતા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં 20 જેટલા લોકોને ઈજા પહોંચી છે. 26 કાર, 51 બાઈક, 2 મોટા ટેમ્પોને નુકસાન થયું છે. 4 મીની ટેમ્પો, 3 ટ્રેક્ટર, 10 મકાનોને પણ ભારે નુક્સાન પહોંચાડ્યું છે, આ અંગે પોલીસે સીસીટીવીને આધારે તપાસ શરૂ કરી છે.
પોલીસે 120 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. સમગ્ર ઘટના બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. મજરા ગામે બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણ ભૈરવ મંદિરના વહીવટની જૂની અદાવતને લીધે થઇ હોવાનું સામે આવ્યું છેે. તહેવારને લઈને ત્રણ દિવસ માટે મંદિરના ચોકમાં ગરબાનું આયોજન કરવાનું હતું. પરંતુ તે પહેલા જ ગામમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
40 કરોડ રૂપિયાની કિંમતનો 100 કિલો મેફેડ્રોન, રાજસ્થાનમાં ડ્રગ લેબનો પર્દાફાશ, 5 લોકોની ધરપકડ | 2025-11-15 19:25:33
નકલી ચલણ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 10 પાસ વ્યક્તિએ ઘરે જ સેટઅપ તૈયાર કર્યું, 2 લાખ રૂપિયાની ચલણ જપ્ત | 2025-11-15 19:11:51
સનસનીખેજ બનાવ...રાજકોટમાં પતિએ પત્નીને ગોળી મારી, પોતે આત્મહત્યા કરી લીધી | 2025-11-15 12:54:34
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ, 9 લોકોનાં મોત, 27 લોકો ઘાયલ | 2025-11-15 07:59:45
લાંચનો જોરદાર કિસ્સો....રૂપિયા 1 કરોડની લાંચની માંગણી, ASI અને બે શખ્સો એસીબી ટ્રેપમાં ફસાયા | 2025-11-14 22:27:48
અંકલેશ્વરમાં મૌલવીએ સુગંધી પાણી પીવડાવી મહિલા પર દુષ્કર્મ આચર્યું; ધર્માંતરણ માટે ધમકી | 2025-11-14 18:43:29
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે મહત્વની જાહેરાત, સહાય માટે આ તારીખથી કરી શકશે ઓનલાઇન અરજી | 2025-11-13 16:00:39
અત્યાર સુધી સરકાર ઊંઘમાં હતી ! અગાઉના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના રાજમાં થયેલી ગેરરીતીઓ ઉજાગર કરવાની જવાબદારી હવે પાનશેરિયાને મળી ! | 2025-11-13 10:30:44
અમિત શાહ દ્વારા કો-ઓપ કુંભ 2025નું ઉદ્ઘઘાટન, પ્રતિષ્ઠિત મહાનુભાવોમાં ઉપસ્થિત રહ્યા હતા | 2025-11-15 18:46:33
અમરેલીમાં સાળાએ કુહાડીથી બનેવીના પગ કાપી નાખ્યા, સારવાર દરમિયાન મોત | 2025-11-12 11:36:55
અંબાલાલ પટેલે ઠંડી વચ્ચે વરસાદની કરી આગાહી, 15 નવેમ્બર બાદ વાતાવરણમાં આવી શકે છે પલટો | 2025-11-09 13:32:28
એક્સપાયરી ડેટની દવાઓ અને ગુમ થયેલા ડોકટરો, સરકારે ગુજરાતની અનેક ખાનગી હોસ્પિટલો પર કડક કાર્યવાહી કરી | 2025-11-07 16:07:37