Fri,26 April 2024,1:15 am
Print
header

સંખેડામાં ખેતી બચાવવા ખેડૂતે ખેતરમાં છોડ્યો કરંટ અને 3 લોકોના થઇ ગયા મોત

ખેતરમાં કરંટ લાગતા ત્રણ લોકોના જીવ ગયા

છોટા ઉદેપુરઃ એક ખેડૂતે પોતાના ખેતરમાં ઉભા પાકને ભૂંડથી બચાવવા માટે કરંટ છોડ્યો હતો તે કરંટથી પિતા-પુત્ર સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થઇ ગયા છે. પિતા-પુત્રના મૃતદેહોથી 500 મીટર દૂર એક યુવકની લાશ મળી આવી હતી, જેના પગ ખેતરની તારમાં ફસાયેલા હતા. સંખેડા પોલીસે ત્રણેયના મોત અંગે તપાસ શરૂ કરી છે. 

પીપળસટ ગામના 47 વર્ષીય બારિયા રાજુભાઈ ખેતરથી ગઈકાલે સમયસર ઘરે આવ્યાં ન હોવાથી તેમનો પુત્ર સંજય તેમને શોધવા ખેતરમાં ગયો હતો. થોડા કલાકો બાદ સંજય પણ પાછો ન ફરતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. તપાસ કરતા ખેતરમાં રાજુભાઈ અને સંજય બંને  મૃત હાલતમાં મળી આવ્યાં હતા. આ મામલે પરિવારે પોલીસને જાણ કરતા તપાસ શરૂ કરી છે.પોલીસને 500 મીટર દૂર એક યુવકની લાશ મળી આવી હતી, જેના પગ ખેતરના તારમાં ફસાયેલા હતા. ખેતરને ભૂંડોના ત્રાસથી બચાવવા માટે રાજુભાઈએ ખેતરની આસપાસ તારની વાડમાં વીજ કરંટ છોડ્યો હતો.પોતાના જ ખેતરની વાડમાં વીજ કરંટથી તેમનો જ જીવ ગયો હતો. 

નોંધનીય છે કે થોડા દિવસ પહેલા બનાસકાંઠાના ગઠામણ ખાતે એક ઝટકા મશીનના સંપર્કમાં આવતા કરંટ લાગયો હતો.જેમાં પરિવારના સભ્યોમાં એક મહિલા અને બે બાળકોના મોત થયા હતાં 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch