Fri,19 April 2024,2:40 pm
Print
header

શાહરૂખ ભાજપનો ખેસ ધારણ કરી લે તો ડ્રગ્સ પણ શુગર પાવડર બની જાયઃ છગન ભૂજબળ

આર્યનખાનને લઇને ભાજપ પર ભૂજબળનો પ્રહાર

(File Photo)

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારના મંત્રી છગન ભૂજબળે ભાજપ પર બેવડું વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો છે.તેમણે કહ્યું, જો અભિનેતા શાહરૂખ ખાન બીજેપીમાં સામેલ થઈ જોય તો ડ્રગ્સ પણ શુગર પાઉડર બની જાય. ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરૂખનો દિકરો આર્યન પકડાયો છે તેને લઈને વાત કરતી વખતે તેમણે આ નિવેદન આપ્યું હતું.

એનસીપી નેતા છગન ભુજબળે કહ્યું, ગુજરાતના મુંદ્રા બંદરે પકડાયેલા 3000 કિલોગ્રામ હેરોઈનની તપાસ કરવાને બદલે એનસીબી ખાન પરિવાર પાછળ પડી ગઇ છે.જો શાહરૂખ ભાજપમાં સામેલ થઈ જાય છે તો ડ્રગ્સ પણ શુગર પાવડર બની જશે. આ પહેલા નવાબ મલિકે પણ એનસીબી તપાસ પર સવાલ ઉઠાવ્યાં હતા.

આર્યન ખાનની એનસીબીએ 2 ઓક્ટોબરે ક્રૂઝમાંથી ધરપકડ કરી હતી. હાલ તે કસ્ટડીમાં છે, કોર્ટ જામીન અરજી ફગાવી ચુકી છે. મંગળવારે બોમ્બે હાઈકોર્ટમાં તેની જામીન અરજી પર સુનાવણી થવાની છે. આર્યન ખાન હાલ આર્થર રોડ જેલમાં બંધ છે.નોંધનિય છે કે અગાઉ પણ અનેક ભાજપમાં જોડાયેલા નેતાઓ સામેની ઇડી અને સીબીઆઇ તપાસ ટલ્લે ચઢાવી દેવાયાના અનેક કિસ્સા છે ભાજપ અનેક હસ્તીઓને દબાવતું હોવાના આરોપ છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch