Wed,24 April 2024,2:53 am
Print
header

મૈં જીના નહીં ચાહતી... મરજી સે મર રહી હું... લખીને સીએનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું

(પ્રતિકાત્મક તસવીર)

સેલવાસઃ દાદરાનગર હવેલીના સેલવાસ સામરવણીમાં પ્રમુખ આંગન સોસાયટીમાં રહેતા રાજસ્થાની પરિવારની અને સીએનો  અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થીનીએ પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતાં ચકચાર મચી છે. તેના રૂમમાંથી મૈં જીના નહીં ચાહતી, મેરી મરજી સે મર રહી હું, મુજે કિસી સે શિકાયત નહીં હે તેમ લખેલી સ્યૂસાઇડ નોટ મળી આવી હતી.

સેલવાસ સામરવરણી ખાતે પ્રમુખ આંગન સોસાયટીના એ-વિંગમાં રહેતી મનીષા પટેલે પોતાની રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.રૂમનો દરવાજો નહીં ખોલતા તોડીને જોતાં ફાંસો ખાધેલી હાલતમાં તેની લાશ મળી હતી.જેને નીચે ઉતારી તપાસ કરતાં શ્વાસ ચાલતો હોવાનું જણાયું હતું. જે બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.

મનીષા લાયન્સ કોલેજમાં સીએનો અભ્યાસ કરતી હતી હાલ પરીક્ષા ચાલતી હતી. તેના પિતા બે માસથી વતન ગયા હતા અને તે માતા તથા ભાઈ સાથે રહેતી હતી.તેના રૂમમાંથી મૈં જીના નહીં ચાહતી, મેરી મરજી સે મર રહી હું, મુજે કિસી સે શિકાયત નહીં હે તેવી સ્યૂસાઈડ નોટ મળી આવતાં પરિવારના સભ્યો પણ ચોંકી ગયા હતા. ઘટનાની વધુ તપાસ પોલીસ કરી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch