મુંબઇઃ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને દાદા સાહેબ ફાડકે એવોર્ડથી સન્માનિત દિલીપ કુમાર સાહેબનું 98 વર્ષની ઉંમરે આજે વહેલી સવારે નિધન થયું છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, તેમણે સવારે 7.30 વાગે અંતિમ શ્વાસ લીધા હતા 30 જૂનના રોજ શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને ICUમાં રખાયા હતા.
બોલિવૂડના 'ટ્રેજેડી કિંગ' દિલીપ કુમારના નિધન પછી ફિલ્મ જગત અને તેમના લાખો ચાહકો દિલીપ કુમારની યાદમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દિગ્ગજ અભિનેતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેમને ટેલિફોન પર સાયરા બાનો સાથે વાત કરીને સાત્વંના આપી હતી.
Dilip Kumar Ji will be remembered as a cinematic legend. He was blessed with unparalleled brilliance, due to which audiences across generations were enthralled. His passing away is a loss to our cultural world. Condolences to his family, friends and innumerable admirers. RIP.
— Narendra Modi (@narendramodi) July 7, 2021
દિલીપ કુમારનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન છે તેમનો જન્મ પેશાવરમાં 11 ડિસેમ્બર 1922ના રોજ થયો હતો. તેમણે વર્ષ 1944માં ફિલ્મ જ્વાર ભાટાથી બોલીવુડમાં કામ શરૂ કર્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને દિલીપ કુમારને શ્રદ્ધાંજલી આપી હતી. ભારતીય સિનેમા જગતમાં દિલીપ કુમારનું યોગદાન હંમેશા યાદ કરાશે. હિંદી સિનેમાના સૌથી મોટા સન્માન દાદા સાહેબ ફાળકે અવૉર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. 2015માં સરકારે તેમને પદ્મભૂષણ અવૉર્ડથી સન્માનિત કર્યાં હતા. દિલીપ કુમારને બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર અવૉર્ડ આઠ વાર મળ્યો હતો. તેમણે 'જ્વાર ભાટા', 'કર્મા', 'અંદાજ', 'આન', 'દેવદાસ', 'આઝાદ', 'મુગલ-એ-આઝમ', 'સૌદાગર', 'ગંગા જમુના', 'કિલા', 'ક્રાંતિ' સહિતની અનેક બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું હતું. તેમના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત અનેક હસ્તીઓએ દુખ વ્યક્ત કર્યું છે.
My heartfelt condolences to the family, friends & fans of Dilip Kumar ji.
— Rahul Gandhi (@RahulGandhi) July 7, 2021
His extraordinary contribution to Indian cinema will be remembered for generations to come. pic.twitter.com/H8NDxLU630
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં IPS અધિકારીઓને મળી નવી જવાબદારી, આ રહ્યું આખું લિસ્ટ | 2024-04-25 19:41:51
પાકિસ્તાનની આર્થિક સ્થિતી ભયંકર રીતે બગડી...વેપારી સંગઠનોએ કહ્યું ભારત સાથે સંબંધો સુધારવા જરૂરી | 2024-04-25 17:14:32
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કન્નૌજથી નોંધાવી ઉમેદવારી- Gujarat Post | 2024-04-25 09:56:21
હવે ગૃહમંત્રાલયનો નકલી અધિકારી ઝડપાયો, પોલીસે એન્જિનિયરની કરી ધરપકડ | 2024-04-25 09:27:03
રાંચીમાં બર્ડ ફ્લૂનો કહેર, તપાસમાં પુષ્ટિ થયા બાદ 2196 પક્ષીઓનાં મોત | 2024-04-25 09:05:28
Fact Check: સોશિયલ મીડિયા પર સમય વિતાવનારા યુવાનોને કોંગ્રેસ વર્ષે 1 લાખ રૂપિયા આપશે ! આ દાવો ખોટો છે | 2024-04-25 17:36:58
પટનામાં JDU નેતા સૌરભ કુમારની ગોળી મારીને કરાઇ હત્યા, સ્થાનિક લોકોમાં હોબાળો | 2024-04-25 08:39:29
કારમાંથી મળ્યાં નોટોના બંડલ, 1.3 કરોડ રોકડા, 4 કિલો ચાંદી સાથે દંપત્તિ ઝડપાયું- Gujarat Post | 2024-04-24 16:42:34
આ કાળા બીજ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે, તેનો ઉપયોગ આવી રીતે કરવો જોઇએ | 2024-04-25 08:54:01
તમે સ્વાદમાં ને સ્વાદમાં ઘણી બધી કાકડી ખાઇ જાઓ છો, તો તમારા સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન | 2024-04-23 09:16:35
Benefits of Green Peppers: લીલું કેપ્સિકમ છે આ 5 રોગોની છે દવા, આજથી જ ખાવાનું શરૂ કરો | 2024-04-22 08:42:44
નારિયેળનું પાણી જ નહીં, તેની મલાઈ પણ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, જાણો કઈ કઈ સમસ્યાઓમાં છે અસરકારક ? | 2024-04-21 18:30:59
ઉનાળામાં રોગો સામે લડવા માટે આ ફળ એકલું જ પૂરતું છે, તે અનેક રોગોમાં દવાનું કામ કરે છે | 2024-04-21 07:33:33