Sat,13 December 2025,12:48 am
Print
header

મારાથી હવે SIRનું કામ નહીં થાય, તું તારું અને દીકરાનું...કામના ભારણથી કંટાળી BLO શિક્ષકની આત્મહત્યા

  • Published By dilip patel
  • 2025-11-21 15:28:07
  • /

ગીર સોમનાથ: કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અરવિંદભાઇ મૂળજીભાઇ વાઢેરે આત્મહત્યા કરી લીધી છે. તેમણે પોતાના વતન દેવળી ખાતે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. સ્યૂસાઇડ નોટ મુજબ, તેઓ માનસિક તણાવ અને ઉપલી કચેરીના કામના ભારે દબાણથી થાકી ગયા હતા.

શિક્ષક અરવિંદભાઈને BLO (બૂથ લેવલ ઓફિસર)ની કામગીરી સોંપવામાં આવી હતી. તેઓ ખાસ કરીને SIR (સર્વે સંબંધિત) કામગીરીના ભારણથી ખૂબ જ કંટાળી ગયા હતા.અરવિંદભાઈ વાઢેર વર્ષ 2010થી શિક્ષક તરીકે કાર્યરત હતા

શિક્ષકે તેમના પત્ની સંગીતાબેનને સંબોધીને લખ્યું કે પ્રિય પત્ની સંગીતા. મારાથી કોઇ પણ કાળે હવે આ SIR ની કામગીરી થઇ શકે તેમ નથી. હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું. હું તમને બંનેને ખૂબ જ ચાહું છું. પણ, હવે ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઇ રસ્તો નથી. તેમણે પોતાની પત્નીને પોતાનો અને દીકરાનો ખ્યાલ રાખવા જણાવ્યું હતું અને કામગીરીનું સાહિત્ય શાળાએ પહોંચાડી દેવા કહ્યું હતું.

આ ચિંતાનજક ઘટનાથી રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષકો પર લાદવામાં આવતી બિન-શૈક્ષણિક કામગીરીને લઇને ગંભીર સવાલો ઉભા થયા છે. શિક્ષકો આવા કામોમાં વ્યસ્ત હોવાથી શિક્ષણ કાર્ય પર માઠી અસર પડી રહી છે. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch