મૃત્યુઆંક વધવાની શક્યતા
25થી વધુ લોકો ઘાયલ, જૈ પૈકી ત્રણની હાલત અતિ ગંભીર
અમૃતસરઃ પંજાબના મુક્તસરના લંબી હલકા નજીક આવેલા સિંઘેવાલા-ફતુહીવાલા ગામના ખેતરોમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં ગુરુવારે મોડી રાત્રે ભયાનક વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયા હતા, લગભગ 27 મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના પ્રાથમિક અહેવાલ છે. ઘાયલોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ફેક્ટરીની બે માળની ઇમારત પળવારમાં કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી આ ઘટના ફેક્ટરીના ફટાકડા બનાવતા યુનિટમાં રાત્રે આશરે 12.30 વાગ્યે બની હતી.
ફેક્ટરીમાં ફટાકડા બનાવવાનું કામ ઉત્તર પ્રદેશના હાથરસ નિવાસી કોન્ટ્રાક્ટર રાજકુમારના તાબા હેઠળ થતું હતું. ઘટના બન્યા બાદથી કોન્ટ્રાક્ટર ફરાર છે. ઘટના સ્થળેથી કાર્સેર કંપનીના બોક્સમાં તૈયાર ફટાકડા મળી આવ્યા છે. કંપનીના ખાલી બોક્સથી ભરેલું છોટા હાથી વાહન પણ મળી આવ્યું હતું.
વિસ્ફોટનો જોરદાર અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ફેક્ટરીના પેકિંગ યુનિટમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોના જણાવ્યા અનુસાર, અહીં બે શિફ્ટમાં લગભગ 40 કર્મચારીઓ કામ કરતા હતા, જેમાંથી કેટલાક પોતાના પરિવારો સાથે અહીં રહેતા હતા. કહેવાય છે કે મોટાભાગના કર્મચારીઓ ઉત્તર પ્રદેશ અને બિહારના હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ પહોંચી ગયા હતા. ઘટના સ્થળે ડેરા સચ્ચા સૌદા સિરસાની ગ્રીન એસ ફોર્સના કાર્યકરો રાહત કાર્યમાં લાગી ગયા હતા અને હાઈડ્રો મશીનની મદદથી કાટમાળ હટાવવાનો શરૂ કર્યો હતો.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો હવે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ મેળવી શકશે નહીં | 2026-06-12 09:13:31
યુએસ મિસાઇલ હુમલામાં હિમાચલના આદિત્ય શર્માનું મોત, જહાજ પર કેડેટ તરીકે ફરજ બજાવતા હતા | 2026-06-11 20:56:07
મણિપુરમાં નાગા સમુદાયના છ મૃતદેહો મળી આવતાં હડકંપ, ઇમ્ફાલમાં ફરી હિંસા ભડકી | 2026-06-11 08:50:34
ઉજ્જવલા યોજનાના નિયમો બદલાયા, 10 કરોડ પરિવારોને ઝટકો, LPG અંગે સરકારનો મોટો નિર્ણય | 2026-06-09 13:03:24
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39