Fri,19 April 2024,5:38 am
Print
header

પાટીલે કહ્યું ભરતસિંહનું ચસકી ગયું છે, તેમને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરો- Gujarat Post

વડોદરાઃ અયોધ્યામાં રામ મંદિરની શિલાઓ પર કૂતરાઓ પેશાબ કરે છે અને ભાજપ રામનો ઉપયોગ કરીને જનતાને છેતરે છે તેવું કહેનારા ભરતસિંહ સોલંકીને હવે ભાજપે જવાબ આપ્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પ્રહાર કરતા કહ્યું કે આ કોંગ્રેસી ભરતસિંહનું ચસકી ગયું છે તેમને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરાવીને ઇલાજ કરાવો.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ રામ મંદિરને લઇન વિવાદિત ટિપ્પણી કરતા મામલો ગરમાયો છે, ભાજપના નેતાઓ હવે તેમને હિન્દુ વિરોધી ગણાવી રહ્યાં છે. કોંગ્રેસ છોડનાર હાર્દિક પટેલે પણ ભરતસિંહની ઝાટકણી કાઢી નાખી હતી અને આ લોકો હિન્દુ વિરોધી હોવાનું કહ્યું હતુ.

ભાજપના વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમમાં વડોદરામાં પહોંચેલા પાટીલે ભરતસિંહ પર પ્રહાર કર્યાં હતા, ઉપરાંત ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ ભરતસિંહ સોલંકીના નિવેદનને વખોડી કાઢ્યું છે. આ મામલે હવે રાજનીતિ તેજ બની રહી છે. વિધાનસભા ચૂંટણી પહેલા રામને લઇને ભાજપ-કોંગ્રેસ આમને સામને છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch