નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ બિહાર વિધાનસભાની ચૂંટણી માટે પોતાનો ઠરાવ પત્ર જાહેર કર્યો હતો. ભાજપે ઘણાં વચનો આપ્યા છે, પરંતુ એક વચન વિવાદિત છે. બીજેપીનું કહેવું છે કે જો તે બિહારમાં સત્તામાં આવશે તો તે તમામ બિહારીઓ માટે કોરોનાની રસી મફતમાં આપશે. હવે આ મામલો ચૂંટણી પંચ સમક્ષ ગયો છે. કાર્યકર સાકેત ગોખલેએ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ નોંધાવી છે કે, રસી પૂરી પાડવાનો ભાજપનો દાવો ચૂંટણી દરમિયાન કેન્દ્ર સરકારની સત્તાઓનો દુરુપયોગ છે. ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે આ કોઈ ભાજપના નેતાની ઘોષણા નથી પરંતુ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કરાઇ છે.
હવે સવાલ એ ઉભો થાય છે કે કોરોનાને કારણે દેશના દરેક રાજ્યોએ મુશ્કેલી સહન કરી રહ્યાં છે. બિહારની જેમ દરેક રાજ્યના લોકો તેનાથી પ્રભાવિત છે.આવી સ્થિતિમાં ચૂંટણી પંચે ભાજપ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.બિહારમાં ભાજપના ઠરાવ પત્રને નાણાંમંત્રી નિર્મલા સીતારામણે જાહેર કર્યો હતો. ઠરાવ પત્રમાં કુલ 11 વચનો આપવામાં આવ્યાં છે, જેમાં પ્રથમ વચન ફક્ત નિઃશુલ્ક કોરોના રસી માટેનું છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ભારતમાં ICMR દ્વારા કોરોના રસીને માન્યતા મળી જશે, ત્યાર બાદ સરકાર બન્યા પછી બિહારના તમામ લોકોને મફત રસી આપવામાં આવશે.
Filed an urgent complaint with ECI regarding BJP's announcement of free Covid-19 vaccine for Bihar by Union Finance Minister @nsitharaman.
— Saket Gokhale (@SaketGokhale) October 22, 2020
This is not only discriminatory but also a false promise & blatant misuse of Central Govt. powers during elections.
cc: @SpokespersonECI pic.twitter.com/yti8vR9i2E
બિહારમાં એક અઠવાડિયા પછી પહેલા તબક્કાનું મતદાન થવાનું છે, આવી સ્થિતિમાં ભાજપ હવે પોતાનો ઠરાવ પત્ર લાવ્યો છે. શુક્રવારે બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ માટેના પ્રચારનું બ્યુંગલ ફૂકશે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38