પટનાઃ બિહારના વૈશાલીમાં રવિવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. દેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થઇ ગયા છે. સુલતાનપુર ગામ નજીક સ્પીડમાં આવતી ટ્રક બેકાબૂ થઈને એક ધાર્મિક કાર્યક્રમમાં ઘૂસી જતા 8 લોકોનાં મોત નીપજ્યાં હતાં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન નીતીશ કુમારે શોક વ્યક્ત કર્યો છે.
રાજધાની પટનાથી લગભગ 30 કિમી દૂર વૈશાલી જિલ્લામાં રાત્રે 9 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો, જ્યારે લોકો રસ્તાની બાજુમાં એક 'પીપળા' ના ઝાડની સામે એક સ્થાનિક દેવતા 'ભૂમિયા બાબા'ની પૂજા માટે એકઠા થયા હતા. જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તે પરિવારોમાં શોક વ્યાપી ગયો છે.પોલીસ ઘટનાસ્થળ પર આવીને બચાવ કામગીરી હાથ ધરી હતી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રણમાં રાખવા નજીકના પોલીસ સ્ટેશનોના પોલીસકર્મીઓને બોલાવવામાં આવ્યાં હતા.
વડાપ્રધાન કાર્યાલયે ટ્વિટ કરીને લખ્યું, "બિહારના વૈશાલીમાં થયેલો અકસ્માત દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના. ભગવાન ઘાયલોને ઝડપથી સાજા કરે. મૃતકોના દરેક પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ (પીએમએનઆરએફ)માંથી બે-બે લાખ રૂપિયાની મદદ કરાશે. દરેક ઈજાગ્રસ્તને 50,000 રૂપિયા આપવામાં આવશે.
The accident in Vaishali, Bihar is saddening. Condolences to the bereaved families. May the injured recover soon. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 20, 2022
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ટ્વીટ કરીને લખ્યું, "બિહારના વૈશાલીમાં એક માર્ગ અકસ્માતમાં બાળકો સહિત અનેક લોકોના મોતના સમાચાર અત્યંત પીડાદાયક છે. હું આ અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તોને ઝડપથી સાજા થવાની કામના કરું છું."
વૈશાલી જિલ્લાના દેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકની અડફેટે આવી જતાં લોકોના મોતથી મુખ્યમંત્રી નીતિશકુમાર દુઃખી છે. તેમણે આ ઘટનાને દુઃખદ ગણાવતાં મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ તમામ ઈજાગ્રસ્તોની યોગ્ય સારવારના નિર્દેશ પણ આપ્યાં છે તેઓ ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવી છે.
वैशाली के देसरी थाना क्षेत्र में तेज रफ्तार ट्रक द्वारा बच्चों सहित कई लोगों को कुचलने की घटना से मर्माहत हूं। मृतकों के परिजनों के प्रति गहरी संवेदना है तथा उन्हें 5-5 लाख रू० अनुग्रह अनुदान दिया जाएगा। घायलों के समुचित इलाज का निर्देश दिया। उनके शीघ्र स्वस्थ होने की कामना है।
— Nitish Kumar (@NitishKumar) November 20, 2022
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં IPS અધિકારીઓને મળી નવી જવાબદારી, આ રહ્યું આખું લિસ્ટ | 2024-04-25 19:41:51
પાકિસ્તાનની આર્થિક સ્થિતી ભયંકર રીતે બગડી...વેપારી સંગઠનોએ કહ્યું ભારત સાથે સંબંધો સુધારવા જરૂરી | 2024-04-25 17:14:32
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કન્નૌજથી નોંધાવી ઉમેદવારી- Gujarat Post | 2024-04-25 09:56:21
હવે ગૃહમંત્રાલયનો નકલી અધિકારી ઝડપાયો, પોલીસે એન્જિનિયરની કરી ધરપકડ | 2024-04-25 09:27:03
રાંચીમાં બર્ડ ફ્લૂનો કહેર, તપાસમાં પુષ્ટિ થયા બાદ 2196 પક્ષીઓનાં મોત | 2024-04-25 09:05:28
Fact Check: સોશિયલ મીડિયા પર સમય વિતાવનારા યુવાનોને કોંગ્રેસ વર્ષે 1 લાખ રૂપિયા આપશે ! આ દાવો ખોટો છે | 2024-04-25 17:36:58
પટનામાં JDU નેતા સૌરભ કુમારની ગોળી મારીને કરાઇ હત્યા, સ્થાનિક લોકોમાં હોબાળો | 2024-04-25 08:39:29
કારમાંથી મળ્યાં નોટોના બંડલ, 1.3 કરોડ રોકડા, 4 કિલો ચાંદી સાથે દંપત્તિ ઝડપાયું- Gujarat Post | 2024-04-24 16:42:34
ACB ટ્રેપ- ક્લાસ-2 ડ્રગ્સ ઇન્સ્પેક્ટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા, અમદાવાદનો બનાવ | 2024-04-24 21:42:11