બિહારઃ સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના સામે બિહારમાં વિરોધ થઈ રહ્યો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે અગ્નિપથ યોજનાની જાહેરાત કર્યાંના બીજા જ દિવસે દેખાવો શરૂ થયા છે.બક્સરમાં પ્રદર્શનકારીઓએ રેલ્વે ટ્રેક બ્લોક કરી દીધો છે, મુઝફ્ફરપુરના માદીપુરમાં આગ લગાવીને રસ્તો બ્લોક કરી દીધો છે.આ સિવાય આરામામાં હોબાળો થયો હતો. પોલીસ અને જીઆરપીએ દેખાવકારોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ આ યોજના પાછી ખેંચવાની માંગ પર અડગ છે.
કેન્દ્ર સરકારે આર્મી, નેવી અને એરફોર્સની ત્રણેય શાખાઓમાં મોટી સંખ્યામાં યુવાનોની ભરતી કરવા માટે 14 જૂને અગ્નિપથ ભરતી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ યુવાનોએ 4 વર્ષ સુધી સંરક્ષણ દળમાં ફરજ બજાવવી પડશે. સરકારે પગાર અને પેન્શનના બજેટમાં ઘટાડો કરવા માટે આ પગલું ભર્યું છે.
મુઝફ્ફરપુરમાં અનેક લોકો લાકડીઓ લઈને રસ્તા પર ઉતરી આવીને દેખાવો કરવા લાગ્યા છે. પહેલા વિરોધીઓ ARO (આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ) પહોંચ્યા. ત્યાં વિરોધ કરીને પ્રદર્શનકારીઓએ માદીપુરમાં આગ લગાવીને રસ્તો બ્લોક કરી દીધો છે. આ સાથે રોડની આસપાસના બોર્ડ અને હોર્ડિંગ્સમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રદર્શનકારીઓને સમજાવવા માટે સદર અને કાઝી મોહમ્મદપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી,જો કે તેઓ સંમત થયા ન હતા. દેખાવકારોનું કહેવું છે કે જ્યાં સુધી સૈન્ય અધિકારી તેમની સમસ્યાઓ સાંભળશે નહીં ત્યાં સુધી તેઓ રસ્તો છોડશે નહીં.
બક્સરમાં પ્રદર્શનકારીઓએ બક્સર સ્ટેશનના વેરહાઉસ નજીક દિલ્હી-કોલકાતા રેલ્વે ટ્રેકને બ્લોક કરી દીધો છે.સ્થળ પર રેલ્વે પ્રોટેક્શન ફોર્સ, રેલ્વે સ્ટેશન, બક્સર સાથે સીટી પોલીસ સ્ટેશન અને રેલ્વે મેનેજર પહોંચ્યા હતા. આંદોલનકારીઓને સમજાવ્યાં બાદ ટ્રેક પરથી જામ હટાવીને કામગીરી શરૂ કરવામાં આવી હતી. આંદોલનકારીઓ કહે છે કે, નેતા હોય કે ધારાસભ્ય, દરેકને 5 વર્ષનો સમય મળે છે, 4 વર્ષમાં અમારું શું થશે.અમારી પાસે પેન્શનની સુવિધા પણ નથી. 4 વર્ષ પછી રસ્તા પર આવીશું. સેનામાં નિમણૂંકની આ યોજના રદ કરવી જોઈએ.
NH-31 ને બેગુસરાયના હર હર મહાદેવ ચોક પર સંપૂર્ણ રીતે બ્લોક કરી દેવામાં આવ્યો છે. વિરોધીઓ માંગ કરી રહ્યાં છે કે અગ્નિપથ યોજના હેઠળની ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવે અને જૂની ભરતી પ્રક્રિયા પરત કરવામાં આવે. ઉંમરમાં 2 વર્ષ સુધી છૂટછાટ આપવી જોઈએ. CEE પરીક્ષા પ્રક્રિયા શક્ય તેટલી વહેલી તકે થવી જોઈએ અને એરફોર્સ એરમેનનું પરિણામ શક્ય એટલું જલ્દી જાહેર કરવું જોઈએ.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29