વેપારીએ કહ્યું તેણે 500 રૂપિયા આપ્યાં હતા પરંતુ 2000 રૂપિયાની કરાઇ માંગ
કેરળઃ કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' માટે ફંડ ન આપવા બદલ દુકાનદારને કથિત રીતે ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. એક ન્યૂઝ એજન્સી અનુસાર, કેરળના કોલ્લમમાં યાત્રામાં માટે 2000 રૂપિયા ન આપવા પર કોંગ્રેસના કાર્યકરોએ શાકભાજીના દુકાનદાર સાથે ગેરવર્તણૂક કરી. શાકભાજીની દુકાન ચલાવતા એસ ફવાઝે કહ્યું કે કોંગ્રેસના કાર્યકરોની એક ટીમ તેમની દુકાને પહોંચી હતી. તેમની પાસે 'યાત્રા' માટે ફંડ માંગ્યું. કહ્યું કે તેણે 500 રૂપિયા આપ્યા પરંતુ આ લોકોએ 2000 રૂપિયાની માંગણી કરી હતી. જે પછી તેમના શાકભાજી ફેંકી દીધા. કાર્યકરોએ દુકાનને નુકસાન પહોંચાડ્યું હતુ
આ મામલે ત્રણ સસ્પેન્ડ
જો ફંડ આપવામાં ન આવે તો દુકાનદારને કથિત રીતે ધમકી આપવાનો મામલો સામે આવ્યાં બાદ કોંગ્રેસ પક્ષ એક્શનમાં આવી ગયો છે. આ મામલે કોંગ્રેસના ત્રણ કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.
કોલ્લમથી અલપ્પુઝા પ્રવાસ
11 સપ્ટેમ્બરે ભારત જોડો યાત્રા કેરળમાં પ્રવેશી છે. કેરળમાં પ્રવેશ્યા બાદ રાહુલ ગાંધી 19 દિવસના સમયગાળામાં 450 કિલોમીટરની મુસાફરી કરીને મલપ્પુરમના નિલામ્બુર જશે.આ યાત્રા 14 સપ્ટેમ્બરે કોલ્લમ જિલ્લામાં પહોંચી હતી.ત્યાર બાદ તે 17 સપ્ટેમ્બરે અલપ્પુઝા પહોંચશે અને 21-22 સપ્ટેમ્બરે એર્નાકુલમ જિલ્લામાં થઈને 23 સપ્ટેમ્બરે થ્રિસુર પહોંચશે. આ પછી યાત્રાના અન્ય તબક્કા હશે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03