Fri,26 April 2024,3:10 am
Print
header

તળાજા નજીક શેત્રુંજી નદીના પુલ પર કાર- આઇસર વચ્ચે અકસ્માત, 4 વ્યક્તિઓનાં મોત- Gujarat Post

તળાજા- ભાવનગર હાઇવે પર કાર અને આઇસર વચ્ચે અકસ્માતમાંં ચાર લોકોના મોત 

અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો

બે મહિલાઓ અને બે પુરૂષોના મોત 

ભાવનગરઃ તળાજા નજીક શેત્રુંજી નદીના પુલ પર કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે અને એક વ્યક્તિનું હોસ્પિટલમાં મોત નિપજ્યુ છે. મૃતકો મહુવા તાલુકાના નેપ ગામના હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ચાર લોકોના મોત થતા તેમના પરિવાર પર આભ તૂટી પડ્યં છે. 

તળાજાના શેત્રુંજી નદીના પુલ પરથી પસાર થઇ રહેલી કારને એવી ગંભીર ટક્કર વાગી હતી કે, કારમાં બેસેલા વ્યક્તિઓનાં મોત થઇ ગયા હતા. હાલમાં પોલીસે આ અકસ્માત અંગે મૃતકોના પરિવારજનોને જાણ કરીને તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch