Fri,19 April 2024,7:09 pm
Print
header

સનસનીખેજ ઘટના, બનાસકાંઠામાં બાયોગેસના કૂવામાં ગેસ ગળતરને કારણે 2 લોકોનાં મોત

બનાસકાંઠાઃ મોટા જામપુર ગામમાં એક સનસનીખેજ ઘટના બની છે, અહીં બાયોગેસ પ્લાન્ટના કૂવામાં ઉતરતા ગેસ ગળતરને કારણે 2 લોકોનાં મોત થઇ ગયા છે અને અસરગ્રસ્ત 4 લોકોને રાધનપુરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. મોટા જામપુરમાં રગનાથ ચૌધરીએ પોતાના ખેતરમાં બાયોગેસ પ્લાન્ટ બનાવ્યો હતો, જેની સફાઇ કરવા રાતના સમયે આ લોકો અંદર ઉતર્યાં હતા.જેમનો આ ગેસ હતો તેમના પુત્રનું આનંદ ચૌધરી અને ભાગીદાર સુંધાજી ઠાકોરના મોત થઇ ગયા છે.

આ ઘટનામાં બે લોકોનાં મોતથી તેમના પરિવારજનો આઘાતમાં ચાલ્યાં ગયા છે, ગામમાં શોકનો માહાલો છવાઇ ગયો છે. આ ઘટના બાદ શિહોરી પોલીસનો કાફલો અહીં પહોંચી ગયો છે અને કેસની વધુ તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch