બનાસકાંઠાઃ જિલ્લામાં અત્યાર સુધીમાં 10 હજાર જેટલી ગાયોને રસ્તા પર છોડી મુકવામાં આવી છે. માર્ચ 2022માં, ગુજરાત સરકારે ગૌશાળા સંચાલકોને 500 કરોડ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. પરંતુ 7 મહિના બાદ પણ આ પૈસા હજુ સુધી મળ્યાં નથી જેથી લોકોમાં રોષ વ્યાપી ગયો છે.ઘણા વિરોધ પ્રદર્શન બાદ સંતો અને ગૌભક્તોની કાયદો વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા બદલ અટકાયત કરવામાં આવી છે. રમેશ પટેલ, બાબુ ધેમેચા, ઠાકુરભાઈ રાજપૂત, ગોવિંદ રાજપૂત, સુરેશ ઢેમેચા, હિના ઠક્કર, જાનકીદાસ બાપુ, રામરતન સંત ટેટોડા, સંત શ્રી રામરતન બાપુ અને ધર્મશાસ્ત્રી કિશોરભાઈની અટકાયત કરવામાં આવી છે. કિશોરભાઈએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.છેલ્લા પાંચ દિવસથી અહીં ગૌશાળા સંચાલકોની અવરજવર ચાલી રહી છે. સાથે જ આ રીતે રસ્તા પર ગાયો છોડવાને કારણે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો છે, જેને હટાવવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે. હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગૌભક્તોનું કહેવું છે કે હવે ગાયોની જવાબદારી સરકારની છે. ડિસા, ધાનેરા, વાવ, થરાદ, દાંતીવાડા, લાખણી, દિયોદર, ભાભર, માલગઢ સહિત અનેક જગ્યાઓએ રસ્તાઓ પર ગાયો રઝળી પડી છે. વર્ષ 2022-23 માટે રાજ્યના બજેટમાં આપેલા વચન મુજબ આર્થિક સહાયની માંગ કરી રહ્યાં છે. માત્ર બનાસકાંઠામાં જ 1,500 પંજરાપોળો છે, જે 4.5 લાખ જેટલી ગાયોને આશ્રય આપે છે. 170 પાંજરાપોળ આશ્રય સ્થાનમાં 80,000 ગાયો છે. પાંજરાપોળ ટ્રસ્ટને ખવડાવવા માટે દરરોજ પશુ દીઠ રૂ.60 થી 70નો ખર્ચ હોય છે. કોવિડ પછી પાંજરાપોળને આપવામાં આવતું દાન ઓછું થઈ ગયું છે. જો સરકાર વહેલી તકે મદદ નહીં કરે તો આ આંદોલન હિંસક સ્વરૂપ ધારણ કરી શકે છે. વધારે લોકો હવે આ આંદોલનમાં જોડાઈ રહ્યાં છે.
પ્રથમ દિવસે ગાંધીનગરમાં સરકારને ઘેરવા માટે ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો.ત્યાં અનેક સંતો હાજર હતા. જે બાદ બનાસકાંઠા જિલ્લામાં આ આંદોલન શરૂ થયું છે. 48 કલાકનું અલ્ટીમેટમ આપીને ગૌશાળા સંચાલકોએ ભાજપ સરકારને ચેતવણી આપી હતી કે, તેમને તાત્કાલિક સહાય નહીં મળે તો આંદોલન તેજ બનશે.હવે સરકારે કોઇ મદદ નહીં કરતા ગૌશાળાના સંચાલકો ગાયોને છોડીને જતા રહ્યાં છે.
આંદોલન જોર પકડી રહ્યું છે.આંદોલન કારીઓએ પોતાની એક આંદોલન છાવણી બનાવી છેે. ડીસામાં આ છાવણીમાં દરરોજ લોકો આવી રહ્યાં છે. સરકારના વિરોધમાં સામૂહિક મુંડન કરવામાં આવ્યું હતું.
કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ અને ગુજરાત અધ્યક્ષ રાજ શેખાવત ડીસાના મુંડન સ્થળ પર પહોંચ્યાં હતા. તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે અને સીએમ અશોક ગેહલોતે દરેક ગાયના દરેક દિવસના ખર્ચ માટે દરરોજ 50 રૂપિયા ચૂકવ્યાં છે.ગુજરાતમાં ભાજપની સરકાર છે અને ગૌશાળાઓ માટે તે કંઈ કરી રહી નથી. જો સરકાર નહીં સાંભળે તો આગળની ચળવળમાં અમે પણ તેમની સાથે સરકારનો વિરોધ કરીશું.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
પુત્ર ભાજપમાં ગયા પછી દિગ્ગજ નેતા છોટુભાઈ વસાવાએ ભારતીય આદિવાસી સેનાની કરી રચના, તો ભાજપમાં ઉમેદવારો સામે છે રોષ | 2024-03-27 09:38:41
ભાજપમાં બળવાની સ્થિતી..હવે ભાજપ કાર્યકરો પોતાના જ ઉમેદવારોનો વિરોધ કરી રહ્યાં છે, જાણો શું છે માંગ ? | 2024-03-27 08:49:01