નાગપુરઃ બાગેશ્વર ધામ મહારાજના નામથી જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રીને નાગપુર પોલીસે ક્લિનચીટ આપી છે. પોલીસના જણાવ્યાં અનુસાર ધીરેન્દ્ર શાસ્ત્રી સામે અંધશ્રદ્ધા ફેલાવવાના કોઇ પુરાવા મળ્યાં નથી. નાગપુર પોલીસે જણાવ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ સાથે જોડાયેલા વીડિયોમાં તે ક્યાંય પણ અંધવિશ્વાસ ફેલાવતા જોવા મળ્યાં નથી. નાગપુરના પોલીસ કમિશનર અમિતેશ કુમારે સ્પષ્ટતા કરી કે પોલીસે માત્ર નાગપુરના કાર્યક્રમનો વીડિયો જ તપાસ્યો છે.
મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ સાથે સંકળાયેલા શ્યામ માનવની ફરિયાદ પર નાગપુર પોલીસે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના નાગપુર કાર્યક્રમનો વીડિયો તપાસ્યો હતો.ગત સપ્તાહે મહારાષ્ટ્રના નાગપુરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની રામકથા યોજાઇ હતી. મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના શ્યામ માનવે આ જ કાર્યક્રમમાં દિવ્ય દરબાર સામે વાંધો ઉઠાવ્યો હતો અને ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધશ્રદ્ધા અને મેલીવિદ્યાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ધીરેન્દ્ર શાસ્ત્રી સામે શું હતી ફરિયાદ ?
શ્યામ માનવે ધીરેન્દ્ર શાસ્ત્રી પર સામાન્ય લોકોને છેતરવાનો અને ઠગાઇ કરતા હોવાનો આરોપ મૂકતાં કહ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રી 'દિવ્ય દરબાર'ની આડમાં 'મેલીવિદ્યા'ને પ્રોત્સાહન આપે છે. 'દિવ્ય દરબાર'ના નામે બેઠક યોજનારા ધીરેન્દ્ર શાસ્ત્રી બે કાયદાઓનું ઉલ્લંઘન કરે છે. પ્રથમ 2013નો મહારાષ્ટ્ર એન્ટી-મેલીવિદ્યા કાયદો છે અને બીજો 1954નો ડ્રગ્સ એન્ડ રેમેડીઝ એક્ટ છે.
આ સાથે તેમને ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો હતો કે જો તે તેમની સામે ચમત્કારો કરશે તો અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ તેમને 30 લાખ રૂપિયા આપશે.આ આરોપોનો જવાબ આપતાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, તેઓ કોઈ અંધશ્રદ્ધા ફેલાવી રહ્યાં નથી કે કોઈની સમસ્યા દૂર કરી રહ્યાં નથી.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
રાજ્યમાં વ્યાજખોરો સામે 847 એફઆઈઆર નોંધાઈ, 27 પાસાના દરખાસ્ત કરવામાં આવી – Gujarat Post | 2023-02-03 11:24:14
MLC ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો, UPમાં 4 સીટ પર લહેરાયો ભગવો – Gujarat Post | 2023-02-03 11:17:08
દૂધના ભાવમાં તોતિંગ વધારો, અમૂલ દૂધમાં આજથી જ એક લિટરે ત્રણ રૂપિયા ચૂકવવા પડશે | 2023-02-03 09:47:08
ED નો દાવો દિલ્હી સરકારે ગોવાની ચૂંટણીમાં દારૂ કૌભાંડના પૈસા વાપર્યા, અરવિંદ કેજરીવાલે કહ્યું બધા કેસ નકલી છે | 2023-02-02 18:56:05
IND vs AUS: પીએમ નરેન્દ્ર મોદી મેચ જોવા માટે આવશે અમદાવાદ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ આપ્યું આમંત્રણ | 2023-02-02 18:37:17
RBI નું અદાણી ગ્રુપ સામે કડક વલણ, બેંકો પાસેથી રોકાણની માંગી વિગતો | 2023-02-02 15:34:48
રોકાણકારોના હિતો સર્વોપરી છે, બાકીનું બધું બાજુમાં, ગૌતમ અદાણીએ FPO પાછો ખેંચ્યા બાદ આપી પ્રતિક્રિયા | 2023-02-02 09:42:27
આજનું બજેટ દરેક વર્ગનું સપનું પૂરું કરશે, કરોડો વિશ્વકર્મા આ દેશના બિલ્ડર છેઃ પીએમ મોદી | 2023-02-01 15:09:17
Breaking News- 7 લાખ રૂપિયા સુધીની આવક પર નહીં લાગે કોઈ ટેક્સ, આટલી વસ્તુઓ થશે મોંઘી | 2023-02-01 12:42:05
નાણામંત્રી નિર્મલા સીતારમને રજૂ કર્યું બજેટ, કહ્યું આ બજેટ આગામી 25 વર્ષની બ્લૂપ્રિન્ટ- Gujarat Post | 2023-02-01 11:40:00
પેપર ફૂટવાથી વ્યથિત થઈ ભાજપના આ નેતાએ આપી દીધું રાજીનામું ! | 2023-01-31 11:56:19
અગાઉના પેપર લિકના કૌભાંડીઓની ધરપકડના ભણકારા, 11 દિવસના રિમાન્ડમાં 15 આરોપીઓ કરશે અનેક ઘટસ્ફોટ | 2023-01-30 17:43:39