Fri,19 April 2024,3:58 pm
Print
header

બાગાયત પાકમાં 100 ટકા નુકસાની ભોગવનાર ખેડૂતને હેક્ટર દીઠ 6 લાખ રૂપિયાની સહાયની માંગ

ગાંધીનગરઃ ગુજરાતમાં વાવાઝોડાથી ખેડૂતો પાયમાલ થઇ ગયા છે હજારો એકર જમીનોમાં કેરી, ચીકુ સહિતનો પાક નિષ્ફળ ગયો છે. સરકારે ખેડૂતોને વળતર આપવા સર્વેની કામગીરી શરૂ કરાવી છે ત્યારે બાગાયતી ખેતીમાં 100 ટકા નુકસાની ભોગવનાર ખેડૂતને હેક્ટર દીઠ 6 લાખ રૂપિયાની સહાયની માંગ કરાઇ છે જ્યારે સામાન્ય ખેતીમાં હેક્ટર દીઠ 72 હજાર રૂપિયાના વળતરની માંગ કરી છે. માનવ અધિકાર મંચના પ્રમુખ પ્રવિણ રામે ગુજરાત સરકાર પાસે આ માંગ કરી છે.

તૌકતે વાવાઝોડાથી સૌરાષ્ટ્રના ઉના, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ખેતીને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને ખેડૂતોને મોટું નુકસાન થયું છે ખેતીનો સફાયો થઇ ગયો છે. આ વર્ષનું વાવાઝોડું ભયાનક હોવાથી ઘણી જગ્યાએ આંબા, નાળિયેરી સહિતના ઝાડ પણ ઉખડી ગયા છે જેથી સરકારે પણ ખેડૂતોને દુર્દશા જોતા તેમને ઝડપથી મદદ કરવી જોઇએ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch