Fri,19 April 2024,10:07 am
Print
header

ગેંગસ્ટર પાછો ડરી રહ્યો છે, પ્રયાગરાજથી અમદાવાદ પાછો લવાશે અતિક અહેમદને

પ્રયાગરાજઃ ઉમેશ પાલ અપહરણ કેસમાં અતિક અહેમદને આજીવન કેદની સજા સંભળાવ્યાં બાદ તેને હવે પાછો અમદાવાદની સાબરમતિ જેલમાં લવાશે, જેથી ગેંગસ્ટર ભયના ઓથાર હેઠળ આવી ગયો છે. પ્રયાગરાજ પોલીસ તેને અમદાવાદની સાબરમતિ જેલમાં પરત લઇ આવશે. નૈની જેલના અધિકારીઓના જણાવ્યાં અનુસાર આ કેસની સુનાવણી માટે જ માફિયાને પ્રયાગરાજ લાવવામાં આવ્યો  હતો. કેસની સુનાવણી પુરી થયા બાદ ફરીથી તેને  સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવશે. તેના ભાઈ અશરફને પણ બરેલી જેલમાં પરત મોકલી દેવામાં આવશે. 

અતિક સહિત ત્રણ દોષિતોને આજીવન કેદની સજા 

આ પહેલા પ્રયાગરાજની એમપી-એમએલએ કોર્ટે મોટો નિર્ણય આપ્યો હતો. કોર્ટે સૌથી પહેલા માફિયા અતિક અહેમદ સહિત ત્રણ આરોપીઓને દોષી ઠેરવ્યા હતા. તમામ દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. 17 વર્ષ જૂના ઉમેશ પાલ અપહરણ કેસમાં અતિક અહેમદ સહિત તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જો કે અતિક અહેમદના ભાઈ અશરફ અહેમદ સહિત સાત આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં હતા.

એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો

કોર્ટે દોષિતોને એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ દંડ ઉમેશ પાલના પરિવારજનો દ્રારા આપવામાં આવશે.અતિક ઉપરાંત હનીફ અને દિનેશને પણ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. અતિક સામે અત્યાર સુધીમાં 100 થી વધુ કેસ નોંધાયેલા છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch