Sat,20 April 2024,2:18 am
Print
header

વિશ્વપ્રસિદ્ધ જ્યોતિષ બેજાન દારૂવાલાનું એપોલો હોસ્પિટલમાં નિધન, કોરોનાના લક્ષણો પછી હતા એડમિટ

અમદાવાદઃ પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય બેજાન દારૂવાલા હવે આપણી વચ્ચે રહ્યાં નથી, 90 વર્ષની ઉંમરે તેમને અમદાવાદની એપોલો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે, તેમનામાં કોરોનાનાં લક્ષણો દેખાતા તેમને 21 મેના દિવસે એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જો કે તેમના પુત્રએ કહ્યું હતુ તે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, ડોક્ટરોના મતે બેજાન દારૂવાલાને ફેફસામાં ઇન્ફેક્શન હતુ, જેથી તેમની સારવાર ચાલી રહી હતી. તેમનું મોત કોરોનાને કારણે નથી થયું.

બેજાન દારૂવાલાના લાખો ચાહકો તેમના જવાથી દુખી છે, જ્યોતિષ અને વાસ્તુથી લઇને હવામાન અને રાજનીતિને લગતી તેમની અનેક આગાહીઓ સાચી પડી હતી, નેતાઓ પણ દારૂવાલા પાસેથી જ્યોતિષ જોવડાવવા જતા હતા. તેમના જવાથી ગુજરાતને એક મોટો ફટકો પડ્યો છે. 

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch