Wed,24 April 2024,6:05 pm
Print
header

કોર્ટનો મોટો ચૂકાદો, સુરત દુષ્કર્મ કેસમાં લંપટ આસારામને આજીવન કારાવાસની થઇ સજા

ગાંધીનગરઃ ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને સજા સંભળાવાઇ છે. દુષ્કર્મ કેસમાં સેશન્સ કોર્ટે આસારામને આજીવન કારાવાસની સજા આપી છે. આ કેસમાં સરકારી વકીલે આજીવન કેદની માંગ કરી હતી અને આજે સજાનું એલાન થયું છે, જો કે પુરાવાને અભાવે અન્ય 6 લોકોને કોર્ટે નિર્દોષ છોડી દીધા છે. આ કેસમાં આસારામ સહિત 7 લોકો સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. 2001માં ઘટના પછી 2013 માં દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

9 વર્ષથી આસારામ રાજસ્થાનની જોધપુરની જેલમાં બંધ છે. જેની સામે અનેક ગુના નોંધાયેલા છે. હાલના કેસમાં સુરતની બે બહેનોએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. તેના પુત્ર નારાયણ સાંઈ પર પણ દુષ્કર્મનો કેસ છે. મોટી બહેનનો કેસ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. સરકાર વકીલે 55 સાક્ષીઓના 
નિવેદનો આપ્યાં હતા અને હવે સજાનું એલાન થયું છે.

નોંધનિય છે કે આસારામ 9 વર્ષથી જેલમાં બંધ છે અને તેને અગાઉ જામીન અરજીમાં કહ્યું હતુ કે મારી ઉંમર 80 વર્ષ ઉપર છે અને અનેક બિમારીઓ પણ છે. જેથી દયા રાખીને મને જામીન આપવામાં આવે. જો કે હવે તેને આજીવન કેસમાં રહેવું પડશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch