Sat,20 April 2024,2:22 pm
Print
header

સુરત દુષ્કર્મ કેસમાં કોર્ટે આસારામને ઠેરવ્યો દોષિત, 6 આરોપીઓ નિર્દોષ છૂટ્યાં

ગાંધીનગરઃ સેશન્સ કોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં આસારામને દોષિત ઠેરવ્યો છે અને હવે તેની સજાનું એલાન થશે, જો કે પુરાવાને અભાવે અન્ય 6 લોકોને કોર્ટે નિર્દોષ છોડી દીધા છે. આ કેસમાં આસારામ સહિત 7 લોકો સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. 2001માં ઘટના પછી 2013માં દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

હાલમાં આસારામ રાજસ્થાનની જોધપુરની જેલમાં બંધ છે, જેની સામે અનેક ગુના નોંધાયેલા છે. હાલના કેસમાં સુરતની બે બહેનોએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. તેના પુત્ર નારાયણ સાંઈ પર પણ દુષ્કર્મના કેસ છે. મોટી બહેનનો કેસ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. સરકાર વકીલે 55 સાક્ષીઓના 
નિવેદનો આપ્યાં હતા અને હવે આવતીકાલે સજાનું એલાન થઇ શકે છે.

નોંધનિય છે કે આસારામ 9 વર્ષથી જેલમાં બંધ છે અને તેને અગાઉ જામીન અરજીમાં કહ્યું હતુ કે મારી ઉંમર 80 વર્ષ ઉપર છે અને અનેક બિમારીઓ પણ છે. જેથી દયા રાખીને મને જામીન આપવામાં આવે.

 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch