Tue,23 April 2024,8:54 pm
Print
header

ભાજપને પડકાર, ગુજરાતમાં અમે 182 વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઉતારીશું- અરવિંદ કેજરીવાલ

અમદાવાદઃ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ધમાકેદાર રીતે ચૂંટણીઓ લડવાની તૈયારીઓ આરંભીને ભાજપની ઉંઘ ઉડાવી દીધી છે. આજે અમદાવાદ આવેલા અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસને કારણે જ ગુજરાતની જનતા પરેશાન થઇ રહી હોવાનું કહીને વિરોધીઓ ને જવાબ આપ્યો છે, અરવિંદે કહ્યું કે ગુજરાતના 6 કરોડ લોકો જાતે જ નક્કી કરશે કે હવેનું ગુજરાત મોડલ શું હશે, અગાઉ તમારી પાસે કોઇ વિકલ્પ ન હતો પરંતુ હવે આમ આદમી પાર્ટી તમારી સાથે છે.

આમ આદમી પાર્ટી શિક્ષણ અને આરોગ્યને મુદ્દો બનાવીને રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. જેનાથી હવે પીએમ મોદીના હોમ ગ્રાઉન્ડ ગુજરાતમાં ભાજપ માટે મોટી ચિંતા ઉભી થવાની છે, આજની કેજરીવાલની મુલાકાત જોતા લાગી રહ્યું છે કે જનતા પણ તેમને સપોર્ટ કરશે. લોકોમાં ઉત્સાહ છે અને આપના કાર્યકર્તાઓ પણ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch