Tue,23 April 2024,8:22 pm
Print
header

આમ આદમી પાર્ટીએ ખેલ્યું આદિવાસી કાર્ડ, વડોદરામાં કેજરીવાલે કર્યાં અનેક વાયદા, વેપારીઓને પણ આપી ગેરંટી- gujarat post news

વડોદરાઃ આમ આદમી પાર્ટીના વાયદાઓ ભાજપની ચિંતા વધારી રહ્યાં છે, રાજ્યમાં જે આદિવાસી બેઠકો પર ભાજપની નજર છે તે બેઠકો પર હવે અરવિંદ કેજરીવાલે મહેનત શરૂ કરી દીધી છે, આજે વડોદરામાં આપના સંયોજક કેજરીવાલે આદિવાસી સમાજ માટે મોટા વાયદાઓ કર્યા છે, સાથે જ તેમને વેપારીઓને પણ વાયદા કર્યાં છે, ભાજપ સરકાર પર પ્રહાર કરતા તેમને કહ્યું કે આ લોકો વેપારીઓને ડરાવી રહ્યાં છે, મારી બેઠકમાં જે વેપારીઓ આવી રહ્યાં છે તેમને ધમકીઓ આપી રહ્યાં છે. હું કોઇ આતંકવાદી નથી પરંતુ શરીફ વ્યક્તિ છું અને આ લોકો મને મળવા આવે તેમાં કંઇ ખોટું નથી.

કેજરીવાલે કટાક્ષ કરતા કહ્યું કે ભાજપ-કોંગ્રેસનું ઇલુ ઇલુ ખતમ થવાનું છે અને ગુજરાત વિધાનસભામાં આપ બાજી મારવાની છે. આપે એક પછી સમાજના લોકોને પોતાના તરફ કરવા વાયદાઓ આપવાનું શરૂ કરી દીધું છે.

ગુજરાતને વધુ એક ગેરંટી 

- આદિવાસીઓનું શોષણ નહીં થવા દઇએ
- આદિવાસી સમાજ માટે સંવિધાનના 5 શિડ્યૂલ લાગુ કરીશું
- ગ્રામ સભાની મંજૂરી વિના સરકાર એક્શન નહીં લઈ શકે
- ટ્રાઈબલ એડવાઈઝરી કમિટીના ચેરમેન આદિવાસી જ હશે
- આદિવાસીઓને કાસ્ટ સર્ટિફિકેટ સરળતાથી મળશે
- જેમની પાસે ઘર નથી તેમને ઘર આપીશું, પાક્કા રસ્તા બનાવીશું
- આદિવાસી ગામડાઓમાં એક સારી સ્કૂલ બનાવીશું 
- આદિવાસીઓ માટે દરેક ગામમાં ગાવ ક્લિનિક બનશે
- આદિવાસી વિસ્તારોમાં સ્પેશિયાલીટી હોસ્પિટલ બનશે

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch