Fri,19 April 2024,3:10 am
Print
header

અંકલેશ્વરઃ ફોઈના બેસણામાંથી ઘરે પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત, 2 બાળકો સહિત 3ના મોત

અંકલેશ્વરઃ દમણ ફોઈની શોક સભામાં હાજરી આપી અંકલેશ્વર ઘરે પરત ફરી રહેલા બે પરિવારના સભ્યોને અકસ્માત નડ્યો હતો. કારમાં સવાર 2 બાળકી અને એક મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.ગુંદલાવ ચોકડી પાસે આગળ જઈ રહેલા ટ્રક સાથે ટક્કર લાગતા કાર પલટી મારી ગઈ હતી. 

અલ્તાફ, તસ્લિમ, મુશ્કાન, ખુશી, અરમાન સહિત 7 સભ્યો કારમાં સવાર હતા. અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે રહેતા અલ્તાફ કાર નંબર GJ-16-CB-3513 લઈને તેમની બહેન, બાળકો અને સંબંધીઓ સાથે દમણ ફોઈબાના બેસણામાં ગયા હતા. રવિવારે રાત્રે અંકલેશ્વર પરત ફરી રહ્યાં હતા ત્યાં આ અકસ્માત સર્જાયો હતો. 

ગુંદલાવ ચોકડી પાસે આવતા આગળ ચાલતી ટ્રક નં. GJ-15-YY-8889ને કાર ચાલક અલ્તાફે ટક્કર મારી સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. જેને લઈને કાર રોડની વચ્ચે આવેલા ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી. ડિવાઈડર ઉપર લગાવવામાં આવેલા સ્ટ્રીટ લાઈનના પોલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.પાછળ આવી રહેલા અન્ય કાર નં. GJ–05-CE-5645માં પરિવારના સભ્યોએ ગુંદલાવ ચોકડી પાસે ટ્રાફિક જામ જોતા ચેક કરતા અલ્તાફની કારનો અકસ્માત થયેલો જોઈ ચિંતામાં મુકાઈ ગયા હતા. 

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. વલસાડ સિવિલ હોસ્પિટલ અને કસ્તુરબા હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં 2 બાળકો અને એક મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. પોલીસે કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch