Fri,26 April 2024,2:10 am
Print
header

અંકિતાના અંતિમ સંસ્કારમાં લોકોની ભીડ ઉમટી, દિકરીને આપો ન્યાય- Gujarat Post

ઉત્તરાખંડઃ માસૂમ અંકિતાની હત્યા બાદ લોકો રસ્તાઓ પર આવી ગયા છે, ન્યાયની માંગ સાથે લોકોમાં રોષ વ્યાપી ગયો છે.બીજી તરફ પરિવારને સમજાવીને અંકિતાના મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા છે. પરિવારે ફરીથી પોસ્ટમોર્ટમ કરવાની જીદ કરી હતી, પહેલા રિપોર્ટમાં સામે આવ્યું છે કે અંકિતાના શરીર પર ઇજાના નિશાન હતા અને પાણીમાં ડૂબી જતા તેનું મોત થઇ ગયું હતુ.

અંતિમ સંસ્કાર વખતે અલકનંદાના ઘાટ પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને અંકિતાના પરિવારને ન્યાય મળે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે. લોકોમાં તંત્ર સામે રોષ છે. ઘણી જગ્યાએ ભાજપના નેતાઓએ ભાગવું પડ્યું છે.

પૂર્વ મંત્રીના પુત્રના રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી અંકિતા ભંડારીની હત્યા કરી નાખવામાં આવી છે. આ મામલે પૂર્વ મંત્રીના પુત્ર સહિત ત્રણ લોકોની ધકપકડ કરાઇ છે. અંકિતાને મજબૂર કરવામાં આવતી હતી કે તે વીવીઆઇપી મહેમાનોને સ્પા આપે. પરંતુ તેને ના પાડી દેતા તેની હત્યા કરી નાખવામાં આવી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch