આણંદઃ આજે સવારે ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના કમકમાટીભર્યાં મોત થઇ ગયા હતા. સુરતથી ભાવનગર ઇકો ગાડીમાં જઈ રહેલા મૂળ ભાવનગરના વરતેજ ગામના અજમેરી પરિવારનો આજે વહેલી સવારે તારાપુર નજીક ઇન્દ્રણજ પાસે ટ્રક સાથે ગંભીર અકસ્માત થયો. જેમાં 5 પુરુષ, 2 મહિલા અને 2 બાળકો સહિત 9 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. મૃતકો વરતેજ ગામના હોવાની જાણ થઇ હતી, આ ઘટનાની જાણ થતા ગામમાં શોકનો માહોલ છે.
મૃતકોનાં નામ
રહીમભાઈ સૈયદ (ઉં.વ 60), મુસ્તુફા ડેરૈયા (ઉં.વ 22), સિરાજભાઈ અજમેરી (ઉં.વ 40) મુમતાજબેન અજમેરી (ઉં.વ 35), રઈશ સીરાજ (ઉં.વ 04),અનીસાબેન અલ્તાફભાઈ (ઉં.વ 30), અલ્તાફભાઈ (ઉં.વ 35), મુસ્કાન અલ્તાફભાઈ (ઉં.વ 06), રાધવભાઈ, ઇકોના ડ્રાઇવર (સીદસર) નો સમાવેશ થાય છે.
અકસ્માતને પગલે PM નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. મૃતકોના પરિજનોને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી છે. રાજ્ય સરકારે પણ તેમના પરિવારન મદદની જાહેરાત કરી છે.
Saddened by the loss of lives due to a road accident in Anand district in Gujarat. Condolences to those who lost their near and dear ones. An ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be provided to the next of kin of those deceased: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 16, 2021
મુખ્યમંત્રી વિજય રૂપાણી, અમિત શાહ અને કોંગ્રેસ નેતા શક્તિસિંહે ટ્વિટ કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
આણંદ જિલ્લાના તારાપુરના ઇન્દ્રણજ ગામ નજીક ગમખ્વાર અકસ્માતથી થયેલા મૃત્યુથી શોકગ્રસ્ત છું. અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત અને યોગ્ય મદદ પુરી પાડવા તંત્રને તમામ સૂચનાઓ આપી છે. પ્રભુ મૃતકોના આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ...
— Vijay Rupani (@vijayrupanibjp) June 16, 2021
આણંદના તારાપુર હાઇવે પર થયેલ અકસ્માતના સમાચાર જાણીને અત્યંત વ્યથિત છું. આ અકસ્માતમાં એક જ પરિવારના 11 સભ્યોએ જીવ ગુમાવ્યાના સમાચાર વિચલિત કરી દે એવા છે. ભગવાન મૃતકોની આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના. ૐ શાંતિ શાંતિ
— Amit Shah (@AmitShah) June 16, 2021
અશુભ સમાચાર : ગંભીર અકસ્માત: સુરતથી ભાવનગર જતી ઇકો તારાપુર પાસે ટ્રક સાથે અથડાતાં 10નાં મોત, 1 બાળકી પણ સામેલ, હોવાના સમાચાર થી વ્યથિત : સદગત આત્માઓ ને શ્રદ્ધા સુમન . માર્ગ અકસ્માતો રોકવા પ્લાન બનાવવો જરૂરી . મૃતકો અમારા ભાવનગરના હોવાની માહિતી છે . pic.twitter.com/REXf1KXIbS
— Shaktisinh Gohil (@shaktisinhgohil) June 16, 2021
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
અમેરિકામાં સતત કેમ મરી રહ્યા છે ભારતીય વિદ્યાર્થીઓ, આ સનસનીખેજ રિપોર્ટ આવ્યો બહાર | 2024-04-20 14:38:07
રાજકુમારને અમેઠીથી ભાગવું પડ્યું હતું તેમ હવે વાયનાડ છોડીને ભાગશેઃ રાહુલ ગાંધી પર PM મોદીનો કટાક્ષ | 2024-04-20 14:16:38
ગાંધીનગરના લોકસભા ઉમેદવાર અમિત શાહ પાસે કેટલી છે સંપત્તિ ? કેટલા રૂપિયાની છે લોન ? એફિડેવિટમાં આવ્યું સામે | 2024-04-20 11:57:16
ઈરાન બાદ હવે ઈરાક પર મિસાઈલ હુમલો, બે સૈન્ય અડ્ડાઓ તબાહ થઇ ગયા | 2024-04-20 11:51:52
વધુ એક હાર્ટએટેક...રાજકોટમાં શેરીમાં ક્રિકેટ રમતો 13 વર્ષીય કિશોર અચાનક ઢળી પડ્યો | 2024-04-20 11:46:15
હવે મત એ જ શસ્ર, રાજપૂતો કાળા વાવટા પર પ્રતિબંધ બાદ કેસળિયો ધ્વજ બતાવીને ભાજપનો વિરોધ કરશે | 2024-04-20 07:46:56
ગુજરાતમાં આ જગ્યાએથી મળ્યાં મહાકાય વાસુકી નાગના અવશેષો- Gujarat Post | 2024-04-19 17:35:13
Amit shah nomination: લોકસભા ચૂંટણીને લઇને ગાંધીનગર બેઠક પર અમિત શાહે નોંધાવી ઉમેદવારી | 2024-04-19 13:35:31
પાકિસ્તાનમાં ભારે વરસાદે તબાહી મચાવી, 87 લોકોનાં મોત, 2500 થી વધુ મકાનોને થયું નુકસાન | 2024-04-20 07:59:15
એક ફિલ્મને પણ ટક્કર મારે તેવી સોનાની લૂંટ...કેનેડાની સૌથી મોટી આ લૂંટમાં ભારતીય મૂળના બે વ્યક્તિઓની ધરપકડ | 2024-04-19 18:01:07
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે ED ની મોટી કાર્યવાહી, રૂ. 97.79 કરોડની સંપત્તિ કરી જપ્ત | 2024-04-18 15:21:53