Thu,18 April 2024,11:08 pm
Print
header

ગરીબોની પડખે આવ્યાં મહાનાયક, 1 લાખ શ્રમિકોને મહિના માટે ફ્રીમાં રાશન આપશે

મુંબઇઃ દેશમાં કોરોનાને કારણે હાહાકાર મચી ગયો છે, લોકડાઉન વચ્ચે ગરીબ લોકો માટે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે, આ સ્થિતીમાં દેશની અનેક હસ્તીઓ ગરીબોને મદદ કરી રહી છે, જેમાં મહાનાયક અમિતાભ બચ્ચને પણ મદદ માટે જાહેરાત કરી છે, તેઓ મુંબઇમાં 1 લાખ જેટલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા શ્રમિકોને મહિનાનું રાશન મફતમાં આપશે, જેથી આ લોકો તેમનું ઘર ચલાવી શકે, જે લોકો દરરોજ કામ કરીને પોતાનું ઘર ચલાવતા હતા તેવા લોકોને આ લાભ મળશે, દુકાનો અને સુપર માર્કેટ્સ દ્વારા ગરીબો સુધી રાશન પહોંચાડવામાં આવશે.

સોની પિક્ચર્સ નેટવર્ક ઇન્ડિયા અને કલ્યાણ જ્વેલર્સે અમિતાભ બચ્ચનના આ મિશનને સપોર્ટ કર્યો છે, ત્યારે બિગ બીએ મુશ્કેલી ઘડીમાં દેશ સાથે રહીને ફરીથી દેશભક્તિનું મોટું ઉદાહરણ આપ્યું છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch