Wed,17 April 2024,2:11 am
Print
header

મોદીજીને પીડા સહન કરતા જોયા છે, ગુજરાત રમખાણોના ચૂકાદા બાદ અમિત શાહે કહ્યું- સોનાની જેમ સત્ય બહાર આવ્યું- Gujarat Post

નવી દિલ્હી: ગુજરાત રમખાણો પર સુપ્રીમ કોર્ટના નિર્ણયો અંગે, ગૃહમંત્રી અમિત શાહે ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરી છે. તેમને જણાવ્યું કે આ મામલે લાંબી લડત પછી "સત્ય સોનાની જેમ બહાર આવ્યું છે". આ કેસમાં "ખોટા આરોપોને કારણે મોદીજીને 19 વર્ષથી પીડા સહન કરતા જોયા છે". 18-19 વર્ષની લડાઈ દેશના આટલા મોટા નેતા, એક પણ શબ્દ બોલ્યા વિના ભગવાન શંકરની જેમ ઝેર પીને તમામ દુ:ખ સહન કરીને લડતા રહ્યાં. મેં મોદીજીને નજીકથી આ પીડાનો સામનો કરતા જોયા છે. કારણ કે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી હતી, બધું સાચું હોવા છતાં અમે કંઈ કહીશું નહીં. ફક્ત ખૂબ જ મજબૂત મનનો માણસ આ સ્ટેન્ડ લઈ શકે છે."

રમખાણોમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર લાગેલા આરોપોને રાજનીતિથી પ્રેરિત ગણાવતા અમિત શાહે કહ્યું કે, "સુપ્રીમ કોર્ટે તમામ આરોપોને ફગાવી દીધા છે. તમે કહી શકો છો કે આ ચૂકાદાથી સાબિત થયું છે કે તમામ આરોપો રાજકીય રીતે પ્રેરિત હતા."

અમિત શાહે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, "જે લોકોએ મોદીજી પર આરોપો લગાવ્યાં હતા, જો તેમનામાં વિવેક હોય તો તેમણે મોદીજી અને ભાજપના નેતાની માફી માંગવી જોઈએ." મોદીજીની પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ તે પછી કોઈએ ધરણાં કર્યાં ન હતા અને અમે કાયદાને સહકાર આપ્યો હતો, મારી પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ કોઈ ધરણાં પ્રદર્શન થયું ન હતું."

2002ના ગુજરાત રમખાણોમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપનાર SITના રિપોર્ટ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પરના ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોદીને આપવામાં આવેલી ક્લીનચીટને યથાવત રાખી છે. રમખાણોની તપાસમાં એસઆઈટીએ તત્કાલિન મુખ્યમંત્રીને ક્લીનચીટ આપી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે પોતાની મ્હોર મારી દીધી હતી. કોર્ટે 2002ના રમખાણો પાછળના "મોટા કાવતરા"ની તપાસ કરવાનો ઇનકાર કરતી વખતે ઝાકિયા જાફરીની અરજી ફગાવી દીધી હતી,કહ્યું હતું કે ઝાકિયાની અપીલમાં કોઈ યોગ્યતા નથી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch