Fri,19 April 2024,9:41 pm
Print
header

સમાજવાદી પાર્ટીનાં પૂર્વ નેતા અમરસિંહનું સિંગાપોરમાં નિધન, લાંબા સમયથી હતા બિમાર

સમાજવાદી પાર્ટીના પૂર્વ દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ અમરસિંહનું લાંબી બિમારી પછી 64 વર્ષની ઉંમરે સિંગાપોરની હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બિમાર હતા, તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી, થોડા સમય પહેલા જ તેમને પોતાના જૂના મિત્ર અમિતાભ બચ્ચનને યાદ કરીને સંબંધો ખરાબ થવા પર માફી માંગી હતી.અમરસિંહ રિલાયન્સના અનિલ અંબાણીના પણ ઘણા નજીકના મિત્ર હતા. 

અમરસિંહ વર્ષોથી સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા હતા અને યુપીના પૂર્વ સીએમ મુલાયમસિંહ યાદવના ઘણા નજીકના હતા, છેલ્લા ઘણા સમયથી તેઓ બિમારીમાં સપડાઇ ગયા હતા અને સિંગાપોરની હોસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલતો હતો. અમરસિંહના મોત પર બોલીવુડના અનેક કલાકારો અને નેતાઓએ તેમને શ્રદ્ધાંજલી પાઠવી છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch