જો ઘરગથ્થુ ઉપચારની વાત હોય અને ફટકરીનું નામ ન આવે તેવું લગભગ ન બને, ફટકરીનો ઉપયોગ પ્રાચીન કાળથી કરવામાં આવે છે. દવાઓનું ચલણ ચાલતું હતું ત્યારે પણ ફટકરી ઘણા પ્રકારના દુખાવાને નાબૂદ કરવા માટે મલમ તરીકે કામ કરતી હતી. ફટકરીના ઘણા ફાયદાઓ છે. તેમાં ઘણા ઔષધીય ગુણો છે, જે ઘણા રોગોમાં ત્વરિત રાહત આપે છે.
દાંતના દુખાવામાં રાહત
ફટકરી દાંત માટે ખૂબ ફાયદાકારક છે. તે કુદરતી માઉથ વોશનું કામ કરે છે. ફટકરીને પાણીમાં નાખીને કોગળા કરવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે. ફટકરી માઉથવોશ તરીકે કામ કરે છે તે મોંની દુર્ગંધને દૂર કરે છે.
ઈજા માટેના મલમ
ફટકરી લગાવવાથી લોહી નીકળવાનું બંધ થઈ જાય છે. જો કોઈ ઘાયલ જગ્યાને ફટકરીના પાણીથી ધોવામાં આવે તો રક્તસ્ત્રાવ બંધ થઈ જાય છે. ફટકરીમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો હોય છે, જે ઇજા પર ચેપનું જોખમ દૂર કરે છે.
ખાંસીમાં રાહત
ફટકરી લગાવવાથી લોહી નીકળવાનું બંધ થઈ જાય છે. ઇજાગ્રસ્ત જગ્યાએ ફટકરીનું પાણી ઉધરસની સમસ્યાને દૂર કરે છે. ફટકરીના પાણીથી કોગળા કરવાથી ગળાનો દુખાવો દૂર થાય છે. ફટકરીના પાવડરને મધ સાથે મિક્સ કરીને તેનું સેવન કરવાથી થોડા જ સમયમાં કફની સમસ્યામાં રાહત મળે છે.
ત્વચા માટે ફાયદાકારક
ફટકરી ત્વચાની ઘણી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકે છે. ફટકરી ચહેરા માટે નેચરલ ક્લીન-અપનું કામ કરે છે. ફટકરીના પાણીથી ચહેરા પર મસાજ કરીને ચહેરાને સાફ કરી શકાય છે. તેનાથી ચહેરાની કરચલીઓ ઓછી થઈ જાય છે.
માથાની ગંદકી દૂર કરો
શેમ્પૂથી વાળ સાફ થાય છે, પરંતુ શેમ્પૂ સ્કાલ્પમાં સંગ્રહિત ગંદકીને દૂર કરી શકતું નથી.આ કારણે માથામાં પણ જૂ થાય છે. ફટકરીના પાણીથી ધોવાથી વાળમાં રહેલી ધૂળ અને ગંદકી દૂર થશે.
પેશાબનો ચેપ
ફટકકરીમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી-માઇક્રોબાયલ ગુણ હોય છે. પેશાબના ચેપને દૂર કરવા માટે, તે ભાગને ફટકરીના પાણીથી ધોઈ શકાય છે.
(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ.કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)
આ કાળા બીજ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે, તેનો ઉપયોગ આવી રીતે કરવો જોઇએ | 2024-04-25 08:54:01
તમે સ્વાદમાં ને સ્વાદમાં ઘણી બધી કાકડી ખાઇ જાઓ છો, તો તમારા સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન | 2024-04-23 09:16:35
Benefits of Green Peppers: લીલું કેપ્સિકમ છે આ 5 રોગોની છે દવા, આજથી જ ખાવાનું શરૂ કરો | 2024-04-22 08:42:44
નારિયેળનું પાણી જ નહીં, તેની મલાઈ પણ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, જાણો કઈ કઈ સમસ્યાઓમાં છે અસરકારક ? | 2024-04-21 18:30:59
ઉનાળામાં રોગો સામે લડવા માટે આ ફળ એકલું જ પૂરતું છે, તે અનેક રોગોમાં દવાનું કામ કરે છે | 2024-04-21 07:33:33