Fri,26 April 2024,4:18 am
Print
header

સુપરસ્ટાર અક્ષયકુમારની દેશભક્તિ, કોરોના સામેની લડાઇમાં 25 કરોડ રૂપિયાનું દાન આપ્યું

મુંબઇઃ દેશ આજે કોરોના નામની મહામારી સામે લડી રહ્યો છે, 20 લોકોનાં મોત થઇ ગયા છે અને 900 કરતા વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, દેશની જનતાને આજે મદદની જરૂર છે, વડાપ્રધાન મોદીએ અપીલ કરી છે કે પીએમ રિલિફ ફંડમાં તમે દાન આપીને દેશને મદદરૂપ થાઓ, તેના કલાકોમાં જ સુપર સ્ટાર અક્ષયકુમારે 25 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. આ રકમનો ઉપયોગ કોરોના સામે લડવા કરવામાં આવશે, હોસ્પિટલોમાં સુવિધાઓ વધારાશે અને જનતાને આ રકમમાંથી મદદ કરાશે.

કરોડો રૂપિયાનો એડવાન્સ ટેક્સ પે કરનાર અક્ષયે કોરોના સામેની લડાઇમાં ભાગીદારી કરીને ફરીથી તેની દેશભક્તિ બતાવી છે, તેને કહ્યું કે આવા સમયે લોકોની જિંદગી બચાવવા જેટલું કરીએ તેટલું ઓછું છે, તમામ લોકોએ આજે દેશ સાથે ઉભા રહેવું જોઇએ. અક્ષય કુમાર પહેલા પણ મુશ્કેલીના સમયે દેશ સાથે ઉભા રહ્યાં છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch