PM નરેન્દ્ર મોદી, યોગીએ દુ:ખ વ્યક્ત કર્યું
ઉત્તરપ્રદેશઃ અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્રગીરીનું પ્રયાગરાજમાં શંકાસ્પદ સંજોગોમાં નિધન થયું છે. પોલીસના જણાવ્યાં અનુસાર તેમનો મૃતદેહ અલ્લાપુરના બાગંબરી ગદ્દી મઠના રૂમમાં લટકતી હાલતમાં મળ્યો છે. આઈજી રેન્જ કેપી સિંહે જણાવ્યું કે તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. હાલમાં તો આ ફાંસી લગાવીને આત્મહત્યાનો મામલો હોવાનું જણાય છે. ફોરેન્સિક ટીમને સ્થળ પર બોલાવવામાં આવી છે. મહંતના રૂમમાંથી 7 પાનાની સ્યૂસાઇડ નોટ મળી છે. પોસ્ટમોર્ટમ બાદ જ આ ઘટનાનું કારણ સ્પષ્ટ થશે.
એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે જણાવ્યું કે ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓના જણાવ્યાં મુજબ નરેન્દ્રગીરી જે રૂમમાં હતા ત્યાં જ આત્મહત્યા કરી લીધી છે. તે દરવાજો બંધ હતો, તેમના અનુયાયીઓની માહિતી પર નરેન્દ્રગીરીનો મૃતદેહ દરવાજો તોડીને બહાર કાઢવામાં આવ્યો છે.
શિષ્ય આનંદગીરીને ઉત્તરાખંડ પોલીસે કસ્ટડીમાં લઇ લીધો છે. સ્યૂસાઈડ નોટમાં મહંત નરેન્દ્રગીરીએ આનંદગીરી અને અન્ય લોકો પર અનેક આરોપ લગાવ્યાં છે. ઉત્તરાખંડ પોલીસે હરિદ્વારથી આનંદગીરીની અટકાયત કરી લીધી છે. આ સાથે હનુમાન મંદિરના મુખ્ય પૂજારી આદ્ય પ્રસાદ તિવારી અને તેમનો પુત્ર સંદીપ તિવારી પણ સામેલ છે. આ સિવાય નરેદ્રગીરીના સુરક્ષાકર્મી અજયસિંહ, મનીષ શુક્લા, અભિષેક મિશ્રા, શિવેક મિશ્રાના નામો પણ સ્યૂસાઇડ નોટમાં છે.
શિષ્ય આનંદગીરીના જણાવ્યાં અનુસાર ગુરુજીએ મનીષ શુક્લને કરોડો રૂપિયાનું ઘર આપ્યું હતું. આઈજી રેન્જ કેપી સિંહે જણાવ્યું કે સ્થળ પરથી 7 પાનાની સ્યૂસાઇડ નોટ મળી આવી છે. જેમાં 7 જેટલા લોકોનાં નામ છે, તેમને કેટલાક શિષ્યોના ખરાબ વર્તનની વાત કરી છે. સાથે જ અગાઉ મઠની કરોડો રૂપિયાની જમીનનો પણ એક વિવાદ ચાલી રહ્યો હતો જે મામલો વડાપ્રધાન કાર્યાલય સુધી પહોચ્યો હતો.
મહંતના મોતથી હિન્દુ સમાજ શોકમાં છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સીએમ યોગી આદિત્યનાથ સહિતની હસ્તીઓએ દુખ વ્યક્ત કર્યું છે.
अखिल भारतीय अखाड़ा परिषद के अध्यक्ष महंत नरेंद्र गिरि जी का ब्रह्मलीन होना आध्यात्मिक जगत की अपूरणीय क्षति है।
— Yogi Adityanath (@myogiadityanath) September 20, 2021
प्रभु श्री राम से प्रार्थना है कि दिवंगत पुण्यात्मा को अपने श्री चरणों में स्थान तथा शोकाकुल अनुयायियों को यह दुःख सहने की शक्ति प्रदान करें।
ॐ शांति!
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
રૂ.15 લાખની લાંચની માંગણી, રૂ.5 લાખ લેનારો એએસઆઇનો વહીવટદાર ACB ની ઝપેટમાં આવી ગયો | 2024-04-23 22:56:25
ભાજપ સામે મોરચો...ક્ષત્રિય આંદોલનના પાર્ટ- 2 ની શરૂઆત થશે. આ છે રણનીતિ | 2024-04-23 17:58:17
નિલેશ કુંભાણીના ઘરે લાગ્યા જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો લખેલા પોસ્ટર- Gujarat Post | 2024-04-23 17:54:43
Loksabha Election 2024: મુકેશ દલાલ પહેલા આ પાંચ લોકોને મળી હતી સુરતથી સાંસદ બનવાની તક, જાણો કેમ છે આ બેઠક દેશમાં મહત્વની | 2024-04-23 16:01:20
Loksabha Election 2024: કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવા પણ ગુનો છે, PM મોદીનો વિપક્ષ પર જોરદાર પ્રહાર | 2024-04-23 15:29:17
Fact Check: શું પીએમ મોદી કોઈ યોજના હેઠળ વિદ્યાર્થીઓને લેપટોપ આપી રહ્યાં છે? AICTEએ જણાવ્યું સત્ય | 2024-04-23 16:17:32
PM Modi Statement: મોદીના નિવેદન પર થયો હંગામો, કોંગ્રેસે ચૂંટણી પંચને કરી ફરિયાદ, જાણો શું કહ્યું હતું ? | 2024-04-22 17:40:29
PM Modi in Aligarh: કોંગ્રેસ આવશે તો તમારા 2 માંથી એક ઘર છીનવી લેશે, મહિલાઓના મંગળસૂત્ર પણ છોડશે નહીં | 2024-04-22 17:31:25
ભાજપ હવે મોદીની પૂજા કરનારોએ પંથ બની ગયો છે....કોંગ્રેસના આ સિનિયર નેતાનો કટાક્ષ | 2024-04-21 20:44:02