Sat,20 April 2024,8:36 am
Print
header

બચ્ચન પરિવારના 4 લોકોને કોરોના, હવે ઐશ્વર્યા અને પુત્રી આરાધ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

મુંબઇઃ મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની નાણાવટી હોસ્પિટલમાં સારવાર થઇ રહી છે, હવે બચ્ચન વહુ ઐશ્વર્યા રાય અને તેમની પુત્રી આરાધ્યાનો કોરોનાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેમની સારવાર ચાલુ કરી દેવામાં આવી છે, જો કે જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 

અમિતાભ બચ્ચને લોકોને અપીલ કરી છે કે મારા સંપર્કમાં આવેલા તમામ લોકોએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લેવો જોઇએ, તેઓ હાલમાં નાણાવટી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. તેઓ કેબીસીના શુંટિંગ માટે ઘરની બહાર જતા હતા અને તેમને કોઇ રીતે કોરોનાનું સંક્રમણ લાગ્યું છે, તેમની નજીક આવેલા 50 લોકોનાં કોરોના ટેસ્ટ કરાયા છે.હાલમાં બીએમસીએ બચ્ચન પરિવારના જલસા અને પ્રતિજ્ઞા બંગલોમાં સેનેટાઇઝર કરીને અહીં લોકોની અવર જવર બંધ કરી છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch