અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં જ હવામાં પ્રદૂષણનું પ્રમાણ ખૂબ વધી ગયું છે.ચાર મુખ્ય શહેરો- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં હવાની ગુણવત્તા (AQI - એર ક્વોલિટી ઈન્ડેક્સ) 180ને પાર કરી ગઈ છે. સવાર અને સાંજના સમયે તો આ AQI 200ને પણ પાર કરી જાય છે, જે અનહેલ્થી (બિનઆરોગ્યપ્રદ) ગણાય છે.
નવેમ્બર 2025માં AQIના આંકડા મુજબ, અમદાવાદ અને રાજકોટમાં છેલ્લાં પાંચ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. અમદાવાદમાં 19 નવેમ્બરે છેલ્લાં પાંચ વર્ષનો સૌથી વધુ AQI 194 નોંધાયો હતો. છેલ્લા 8 દિવસથી 200ની નજીક રહે છે. રાજકોટમાં 19 નવેમ્બરે સૌથી વધુ 197 AQI નોંધાયો, જે નવેમ્બર મહિનામાં છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ છે.
સુરત અને વડોદરામાં પ્રદૂષણ વધ્યું છે. વડોદરામાં 17 નવેમ્બરે AQI 184 પર પહોંચ્યો હતો. ડૉક્ટરોએ વધતા પ્રદૂષણ અંગે લોકોને ચેતવ્યાં છે. તેમના કહેવા મુજબ, બાળકો, વૃદ્ધો અને ખાસ કરીને શ્વાસ (અસ્થમા) તથા હૃદયરોગના દર્દીઓને આ પ્રદૂષણથી વધારે નુકસાન થાય છે. પ્રદૂષણને કારણે દર્દીઓને છાતીમાં ભારેપણું, એલર્જી, છીંકો આવી શકે છે. ઘણા શ્વાસની બીમારીવાળા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યાં છે. નાના બાળકોમાં ન્યુમોનિયાના કેસ વધી શકે છે અને શ્વાસની તકલીફો ધરાવતા લોકોને પણ જોખમ વધી રહ્યું છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ | 2026-05-18 19:28:49
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
જામનગરમાં સોશિયલ મીડિયા પર પ્રેમજાળ પાથરી બ્લેકમેઇલ કરતી હનીટ્રેપ ગેંગના 4 સાગરીતો દમણથી ઝડપાયા | 2026-05-18 17:26:14
દાહોદમાં કારમાંથી 2.56 કરોડ રૂપિયા રોકડા મળ્યાં, આવકવેરા વિભાગ તપાસ કરશે | 2026-05-18 09:16:07
કલાકોમાં જ કરોડો રૂપિયાની ચાંદી જપ્ત, પહેલા રાજકોટમાંથી 280 કિલો અને પછી અમદાવાદમાંથી 100 કિલો ચાંદી પકડાઇ | 2026-05-17 19:46:26
કણભા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ અને જી.આર.ડી જવાન આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-05-16 17:07:21
NEET પેપર લીક વિવાદઃ અમદાવાદમાં કેન્દ્રીય શિક્ષણમંત્રીનો NSUIએ કર્યો ઉગ્ર વિરોધ | 2026-05-14 16:54:51
જાણો, સોમનાથ અમૃત મહોત્સવમાં PM મોદીએ શું કહ્યું ? | 2026-05-11 15:08:04
સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ, પીએમ મોદી અમૃત મહોત્સવમાં ભાગ લેશે | 2026-05-10 09:03:45
ગુજરાતમાં કુદરતી આફત: ગીર પંથકમાં મિની વાવાઝોડું અને માવઠું, કેરી સહિતના તૈયાર પાકો પર જોખમ | 2026-05-06 17:09:36
દ્વારકાથી સોમનાથ જતી બસ પલટી જતા 2 શ્રદ્ધાળુઓનાં મોત, નીલગાયને કારણે થયો અકસ્માત | 2026-05-02 17:54:45