તોડીને નવો બનાવવો કે મજબૂત કરવો? 2-3 દિવસમાં નિર્ણયની શક્યતા
અમદાવાદ: શહેરમાં ટ્રાફિકની ધમધમતી લાઈફલાઈન સમાન સુભાષબ્રિજ પર મોટી તિરાડ પડવા અને સ્પાનનો ભાગ બેસી જવાની ગંભીર ઘટના સામે આવી છે. તિરાડ એટલી મોટી છે કે બ્રિજ પરથી નીચે સાબરમતી નદીનું પાણી દેખાઈ રહ્યું છે. આ ગંભીર ક્ષતિના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજની સઘન અને લાંબા ગાળાની તપાસ હાથ ધરવામાં આવી છે.
AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને કન્સલ્ટન્ટ દ્વારા હાથ ધરાયેલી ઊંડાણપૂર્વકની તપાસમાં જાણવા મળ્યું છે કે, બ્રિજના સ્પાનની અંદર રહેલા પ્રિ-સ્ટ્રેસ વાયરને નુકસાન થયું હોવાના કારણે સ્પાનનો ભાગ બેસી ગયો છે. હાલમાં બ્રિજના માત્ર એક સ્પાનમાં આ સ્થિતિ સર્જાઈ હોવા છતાં, તકેદારીના ભાગરૂપે બ્રિજના તમામ છ સ્પાનની તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે અગાઉ પાંચ દિવસ માટે બંધ કરાયેલો આ બ્રિજ હવે લાંબો સમય સુધી બંધ રહે તેવી સંભાવના છે, જેથી નાગરિકોને અન્ય રૂટનો ઉપયોગ કરવો પડશે.
AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, તિરાડવાળા સ્પાન અને સમગ્ર બ્રિજના ભવિષ્ય અંગે નિર્ણય લેવા માટે ત્રણ જેટલા બ્રિજ કન્સલ્ટન્ટ્સ તેમજ રાજ્ય સરકારના બિલ્ડિંગ વિભાગ સાથે બેઠકો અને ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે.
વિભાગ પાસે હાલમાં બે વિકલ્પો છે- આખો બ્રિજ તોડીને નવો બનાવવો અને વર્તમાન બ્રિજ પર સ્પાનને મજબૂત કરી રિપેરિંગ કરવું છે. કન્સલ્ટન્ટ્સ પાસેથી અલગ-અલગ પ્રકારના સોલ્યુશન્સ મેળવવામાં આવી રહ્યું છે. આખરી નિર્ણય આગામી બેથી ત્રણ દિવસમાં લેવામાં આવશે.
સુભાષબ્રિજનો ભાગ બેસી જવા પાછળનું એક મુખ્ય કારણ બ્રિજ પર વધારે પડતો લોડ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. લોડ વધતા બ્રિજના પિલ્લર પર તિરાડ પડી છે, જેના કારણે બ્રિજનો આગળનો ભાગ બેસી ગયો છે.
AMC દ્વારા 5 ડિસેમ્બર) બપોર બાદ બ્રિજ પર તપાસની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. તિરાડની લંબાઈ અને પહોળાઈ માપવામાં આવી છે અને કયા ભાગમાં કેટલું નુકસાન થયું છે તેનું ચેકિંગ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલા વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનમાં માત્ર બેરિંગ બદલવા અને માઇનોર રિપેરિંગની જરૂરની વાત કરાઇ હતી.
અરવલ્લીઃ બાયડના ચોઇલા ગામે પતંગની દોરીથી ગળું કપાતા 17 વર્ષીય તરુણનું મોત | 2026-01-14 14:21:20
દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આગ, જુઓ વીડિયો | 2026-01-14 09:51:41
ગુજરાતમાં IAS કેડરમાં બે અધિકારીઓની બઢતી અને નિમણૂંક - Gujarat Post | 2026-01-14 09:44:46
ઈરાનમાં વિરોધ પ્રદર્શન લોહીયાળ બન્યું: બે સપ્તાહમાં 2000 લોકોનાં મોત, સરકારે પ્રથમવાર આંકડો સ્વીકાર્યો | 2026-01-13 18:19:56
સુરતમાં મહિલા સાથેના સંબંધોમાં બિલ્ડરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, વકીલ સહિત 3 લોકોની ધરપકડ | 2026-01-13 18:01:18
ડ્રગ્સ માફિયાઓ સામે ઓપરેશન, ગુજરાત પોલીસે જાહેર કર્યો ખાસ વોટ્સએપ નંબર- Gujarat Post | 2026-01-13 17:52:03
SGST કમિશનર IAS આરતી કંવર અંધારામાં રહી જશે ? જોઇન્ટ કમિશનર વતી ઉઘરાણાં કરનારો મુસ્લિમ શખ્સ કોણ છે ? | 2026-01-13 13:08:01
સુરત ડ્રગ્સ લેબ કેસ: ઈશાના મોબાઈલમાંથી ખૂલ્યું લંડન કનેક્શન, વોટ્સએપ ચેટમાં ડ્રગ્સ નેટવર્કના અનેક રાઝ | 2026-01-12 18:30:28
ગુજરાત પોલીસ ભરતી: હવે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | 2026-01-12 18:11:23
વેસ્ટ કોસ્ટ કિયાએ અમદાવાદમાં નવી કિયા સેલ્ટોસને લૉન્ચ કરી | 2026-01-14 12:24:30
સુરત ફરી શર્મસાર: સરથાણામાં 57 વર્ષીય નરાધમે 6 વર્ષની માસૂમ પર ગુજાર્યો બળાત્કાર | 2026-01-12 18:19:07
પીએમ મોદી અને જર્મન ચાન્સેલરે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગબાજી કરી | 2026-01-12 13:58:13
અમદાવાદ રિવરફ્રન્ટ પર પક્ષીઓને ચણ અને પશુઓને ચારો આપવા પર પ્રતિબંધ, 10 સભ્યોની સ્પેશિયલ ટાસ્કફોર્સની રચના | 2026-01-11 11:00:37