Thu,25 April 2024,5:53 am
Print
header

આ સ્યૂસાઇડ નોટ તમને રડાવી દેશે ! શીવે લખ્યું મને કોઇ પ્રેમ નથી કરતુ, હું આ દુનિયા છોડી રહ્યો છું

અમદાવાદઃ ઘણી વખત માતા-પિતા પોતાના સંતાનો પર ધ્યાન નથી આપી શકતા અને ન થવાનું થઇ જતું હોય છે, અમદાવાદમાં નવરંગપુરામાં ધ્રુવીન એપાર્ટમેન્ટમાં પીજીમાં રહેતા શીવ મહેન્દ્રભાઇ મિસ્ત્રીએ છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કરી લીધો છે, તેને ચાર સ્યૂસાઇડ નોટ લખી છે, જેમાં દર્દ છલકાઇ રહ્યું છે, તેને લખ્યું છે કે મને કોઇ પ્રેમ નથી કરતુ, જેથી હું આ પગલું ભરી રહ્યો છું.

સેપ્ટ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીનો આપઘાત

વડોદરામાં રહેતા પરિવાર પર આભ તૂટી પડ્યું

સેપ્ટ યુનિવર્સિટીમાં આર્કિટેકમાં છેલ્લા સેમેસ્ટરમાં ભણતા શીવે લખ્યું છે કે પ્રિય મમ્મી પપ્પા, હું તમને પ્રેમ કરું છું, હું જે કરી રહ્યો છું તે માટે હું તમારી માફી માંગુ છું. મે તમને નિરાશ કર્યાં છે. મને એમ લાગતું હતુ કે જીવન પૈસા અને સુવિધાઓ માટે નથી, પરંતુ તમે જીવનમાં મોટું કામ શું કરો છો, તેના માટે છે, અને મારે ઘણું બધુ કરવું છે પરંતુ હું સક્ષમ નથી. આર્કિટેક્ચરનો અભ્યાસ માત્ર ઘરેથી દૂર રહેવા માટે કરી રહ્યો હતો.

હું તમારી નજરમાં નકામો છું, મેં બધુ જ કર્યું છે તેમ છંતા નિષ્ફળ છું, મને કોઇ પ્રેમ નથી કરતુ, સાથે જ તેને પોતાની કોઇ યુવતી મિત્રને કહ્યું છે કે તું કોઇ સારૂં પાત્ર શોધીને લગ્ન કરી લેજે. હાલમાં પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ એક માતા-પિતા પર આભ તૂટી પડ્યું છે. ખરેખર આજના સમયમાં દરેક માતા-પિતાએ પોતાના સંતાનો સાથે વાતચીત કરવી જોઇએ અને તેમને સમય આપવો જોઇએ.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch