Wed,24 April 2024,7:24 pm
Print
header

સબ્જીમાંથી નીકળ્યો મરેલો ઉંદર....! અમદાવાદની આ રેસ્ટોરન્ટની શબ્જી ખાનારો પરિવાર હોસ્પિટલમાં દાખલ- Gujarat Post

અમદાવાદઃ શહેરના નવા વાડજમાં એક પરિવારે રેસ્ટોરન્ટમાંથી પંજાબી સબ્જી મંગાવી હતી, પરંતુ આ પરિવારને ક્યાં ખબર હતી કે આ ફૂડ તેમને હોસ્પિટલ પહોંચાડી દેેશે. આ શાકમાંથી મરેલો ઉંદર નીકળ્યો હતો. આ મરેલા ઉંદરવાળી પંજાબી સબ્જી પનીર ભુરજી સૌથી પહેલા  પરિવારના બાબુલાલ પરમારે અને બાદમાં દીકરા વિશાલે ખાધી હતી. બંને સભ્યો બાદ દીકરો પાર્થિવ તેમની પત્ની ગૌરીબહેન જમવા બેઠા હતા. તે દરમિયાન પનીરની સબ્જીમાં કંઇ અજુગતુ દેખાતા તેમને તપાસ કરી તો ખબર પડી કે સબ્જીમાં મરેલો ઉંદર છે. આ જોઇને તેઓના હોશ જ ઉડી ગયા હતા. પરિવારના સભ્યો બીમાર થતા તેમને હાલ તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે બાદ પરિવારે રેસ્ટોરેન્ટ સામે કાર્યવાહી કરવા કરી માંગ કરી છે.

નવા વાડજમાં રહેતા બાબુલાલ પરમારે દિલ્હી દરવાજાની સબ્જી મંડીની ગલીમાં આવેલી હિના રેસ્ટોરેન્ટમાંથી પનીર ભુરજીની સબ્જી મંગાવી હતી. પરિવારના સભ્યો રાતે 9 વાગ્યાની આસપાસ જમવા બેઠા હતા. બાબુલાલ પરમાર અને દીકરા વિશાલે આ સબ્જી ખાઇ લીધી હતી, દીકરો પાર્થિવ તેમની પત્ની ગૌરીબહેન જમવા બેઠા હતા. દરમિયાન પનીરની સબ્જીમાં કંઇક દેખાતા તેમને તપાસ કરતા ખબર પડી કે સબ્જીમાં તો મરેલો ઉંદર છે. સબ્જીમાં મરેલો ઉંદર જોઇને બાબુલાલના પત્ની અને દીકરો ગભરાઇ ગયા હતા.

બાબુલાલના પત્ની અને દીકરો ગભરાઇ જતા તેઓને ઉલટી અને ચક્કર આવવા લાગ્યા હતા. રાત્રે 108 માં બંન્નેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા જે પૈકી પત્નીની હાલત નાજુક છે.પરિવારના અન્ય સભ્યોને ફૂડ પોઇઝનિંગ થઇ ગયું છે. તેઓ પણ સારવાર લઇ રહ્યાં છે. સમગ્ર મામલે પરિવારે amcના આરોગ્ય વિભાગને પત્ર લખીને જવાબદાર રેસ્ટોરેન્ટ માલિક સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch