અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની ભયાનક સ્થિતી વચ્ચે અંધશ્રદ્ધાને કારણે અનેક લોકોના જીવ ગયા છે અગાઉ બનાસકાંઠામાં ભૂવાઓ પાસે ગયેલા કોરોનાના દર્દીઓનાં મોત થયાના કિસ્સા છે બિમારીમાં ભગવાનમાં શ્રદ્ધા રાખવી જ જોઇએ પરંતુ ડોક્ટરની દવા તેનાથી પણ વધુ જરૂરી છે ઘણા લોકો દવાઓ ન લઇને અંધશ્રદ્ધાને રવાડે ચઢીને પોતાનો પરિવાર બરબાદ કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે હવે આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ સ્વીકાર્યું છે કે અંધશ્રદ્ધામાં લોકો કોરોનાની રસી નથી લઇ રહ્યાં અને તેઓએ સાધુ સંતો મારફતે લોકોને રસી લેવા અપીલ કરી છે કારણ કે જ્યાં સુધી સંપૂર્ણ રસીકરણ નહીં થાય ત્યા સુધી કોરોનાનો ખતરો છે.
બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટે દહેગામના મોસમપુર જોગણી માતાના મંદિર સુધી પગપાળા યાત્રા કરીને અમદાવાદ કોરોનામુક્ત બને તે માટે અને જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી છે. ભગવાનને પ્રાર્થના કરવી જ જોઇએ તે સારી વાત છે પરંતુ કોઇ પણ પ્રકારની અંધશ્રદ્ધા ન ફેલાય અને જનતા વચ્ચે ખોટા મેસેજ ન જાય તે પણ જરૂરી છે નેતાઓએ તેનું પણ ધ્યાન રાખવું જોઇએ, ખરેખર તો સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટે કોરોનાની રસી લેવા માટે અમદાવાદમાં મોટું અભિયાન ચલાવવું જોઇએ અને કોરોનાને લોકોમાં જે ગેરમાન્યતાઓ છે તે દૂર કરવી જોઇએ.
હિતેશ બારોટે શોસિયલ મીડિયામાં પગપાળા યાત્રાના પોતાના ફોટો પોસ્ટ કર્યાં છે, પરંતુ રસીકરણ માટે લોકોમાં જાગૃતિ આવે તેવા ફોટો પણ વધારેમાં વધારે શેર કરવા જોઇએ, થોડા દિવસ પહેલા ભાજપના એક મહિલા નેતાએ કોરોનાની રસીને લઇને અંધશ્રદ્ધા ફેલાવી હતી જેનો પાર્ટીએ તેમની પાસે જવાબ માંગ્યો છે ત્યારે ભાજપના આવા નેતાઓએ મેડિકલ સાયન્સને ધ્યાનમાં રાખીને લોકોને સાચી સલાહ આપવી જોઇએ.પૂજા પાઠની સાથે કોરોનાને લઇને લોકોમાં જાગૃતિ આવે તે વધુ અગત્યનું છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23