બિહારઃ સેનામાં ભરતીને લઈને કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના અંગેનો હોબાળો અટકવાનું નામ નથી લઈ રહ્યો. દેશના 13 રાજ્યોમાંથી પથ્થરમારો, હિંસા અને આગચંપીની ઘટનાઓ સામે આવી છે. આજે આ યોજનાના વિરોધમાં કેટલાક સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે. આ અંગે આરપીએફ અને જીઆરપી હાઈ એલર્ટ પર છે. તાજેતરની હિંસક ઘટનાઓ બાદ આરપીએફ અને જીઆરપી ઘણી તકેદારી રાખી રહ્યાં છે.
દક્ષિણ બિહારના ઔરંગાબાદ જિલ્લામાં 16 અને 17 જૂનના રોજ થયેલા તોફાનો અને આગચંપીના ષડયંત્રોમાં સોશિયલ મીડિયાની મોટી ભૂમિકા હતી. જેથી હવે બે દિવસથી બિહારના 15 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સંપૂર્ણ રીતે બંધ કરાયું છે, જે માટે બિહાર પોલીસે ટેલિકોમ કંપનીઓને પત્ર લખીને ઈન્ટરનેટ સેવા બંધ રખાવી છે.
અત્યાર સુધીની તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે દેખાવકારોએ તોફાનીઓના ટોળાને એકત્ર કરવા માટે નકલી ફેસબુક એકાઉન્ટ, વોટ્સએપ ગ્રુપ બનાવીને લોકોને ઉશ્કેર્યાં હતા. ઔરંગાબાદ પોલીસે આવા 7 થી વધુ ફેસબુક પેજ અને એકાઉન્ટની ઓળખ કરી છે, તેની તપાસ સાયબર સેલને સોંપી છે. આ સિવાય ઔરંગાબાદ પોલીસ ઘણી મિલિટ્રી ટ્રેનિંગ, કોચિંગ ક્લાસ અને એકેડમીની મુલાકાત લઈને તપાસ કરી રહી છે. તોફાનોમાં કોચિંગ કલાસિસની ભૂમિકા સામે આવ્યાં બાદ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
16 અને 17 જૂનના રોજ ઔરંગાબાદ, ગયા, અરવલ અને બિહારના મગધ પ્રદેશના આજુબાજુના જિલ્લાઓમાં માત્ર વોટ્સએપ જ નહીં પરંતુ ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયાનો પણ આડેધડ ઉપયોગ કરવામાં આવ્યો હતો.ઔરંગાબાદ જિલ્લાના એસપી મિશ્રાએ માહિતી આપી હતી કે તોફાનીઓનું કનેકશન જિલ્લા બહારના લોકો સાથે જોડાયેલા હોવાની શક્યતા છે.
એસપીએ કહ્યું કે વોટ્સએપ ગ્રુપ સિવાય ફેસબુક પેજ અને ફેસબુક એકાઉન્ટ વિશે મજબૂત માહિતી મળી છે. 16 અને 17 જૂનના રમખાણો અને આગચંપીના 3 થી 4 દિવસ પહેલાથી ફેસબુક પેજ દ્વારા યુવાનોને ઉશ્કેરવામાં આવતા હતા. આ ફેસબુક પેજ અને એકાઉન્ટ પર ભડકાઉ નિવેદનો મોકલવામાં આવ્યાં છે. ઔરંગાબાદ સાયબર સેલની મદદથી આ ફેસબુક પેજ અને એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે.
આજે બિહાર બંધ માટે ઔરંગાબાદ પોલીસ સંપૂર્ણ રીતે તૈયાર છે. દરેક મહત્વના પોઈન્ટ પર સર્વેલન્સ અને પોલીસ તૈનાત કરવામાં આવી છે.બિહાર બંધને લઈને પોલીસ અને પ્રશાસન સતર્ક થઈ ગયું છે. દક્ષિણ બિહારના નક્સલ પ્રભાવિત વિભાગ ઔરંગાબાદના જિલ્લા મેજિસ્ટ્રેટ સૌરવ જોરવાલે જિલ્લાના એસપી કંતેશ કુમાર મિશ્રા સાથે મળીને દરેક રેલવે સ્ટેશન પર એસટીએફ કમાન્ડો અને રિઝર્વ પોલીસ તૈનાત કરવાનો આદેશ જારી કર્યો છે.આ રેલ્વે સ્ટેશનોમાં અનુગ્રહ નારાયણ રોડ રેલ્વે સ્ટેશન, ફાસર રેલ્વે સ્ટેશન, જાખીમ રેલ્વે સ્ટેશન, ચિરૈલા હોલ્ટ રેલ્વે સ્ટેશન, રફી ગંજ રેલ્વે સ્ટેશન અને દેવરોડ સહિત 11 નાના અને મોટા હોલ્ટનો સમાવેશ થાય છે, એસપી અને ડીએમે ઔરંગાબાદ જિલ્લાના તમામ રેલવે સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું હતું.
જિલ્લા પ્રશાસને તમામ મોબાઈલ કંપનીઓને આગામી 24 કલાક માટે ઈન્ટરનેટ સેવા બંધ કરવાની અવધિ વધારવાનો પત્ર આપ્યો છે. 19મી જૂનની મધરાત 12 સુધી ઈન્ટરનેટ સેવા સંપૂર્ણપણે બંધ હતી, હવે 20મી જૂનની મધરાત સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીએમ સૌરવ જોરવાલે કહ્યું કે ઔરંગાબાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 65 થી વધુ તોફાનીઓની ધરપકડ કરવામાં આવી છે જેમની સામે કડક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29