Sat,20 April 2024,3:57 pm
Print
header

દાદા ભગવાનના ભક્ત છે ભૂપેન્દ્ર પટેલ, ત્રિમંદિરમાં દંડવત થઇને દિપકભાઇના લીધા આર્શીવાદ

ગાંધીનગરઃ ઘાટલોડિયાના ધારાસભ્ય અને પાટીદાર આગેવાન ભૂપેન્દ્ર પટેલને ભાજપે ગુજરાતના મુખ્યપ્રધાન પદની ભેટ આપી છે, કમલમથી તેઓ રાજ્યપાલ ભવન પહોંચ્યાં હતા જ્યાં તેમને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો, આવતીકાલે બપોરે 2.20 વાગ્યે તેઓ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે, તેઓ રાજ્યપાલને મળ્યાં પછી અડાલજમાં આવેલા ત્રિમંદિર પહોંચ્યાં હતા જ્યાં દાદાભગવાનના દર્શન કર્યાં હતા.

ભૂપેન્દ્ર પટેલે દાદા ભગવાન ફાઉન્ડેશનના પ્રમુખ દિપકભાઇ દેસાઇના દંડવત થઇને આર્શીવાદ લીધા હતા. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી દાદા ભગવાન સંસ્થા સાથે જોડાયેલા છે અનેક વખત તેઓ અડાલજના મંદિરે જતા હોય છે. તેઓ અનેક સામાજિક કાર્યો સાથે પણ જોડાયેલા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch