Thu,25 April 2024,12:51 pm
Print
header

જાણીતા એક્ટર અનુપમ શ્યામનું નિધન, પ્રતિજ્ઞા સીરિયલના ઠાકુર સજ્જનસિંહથી બન્યા હતા લોકપ્રિય

મુંબઈઃ શ્રાવણ માસની શરૂઆતમાં જ બોલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રી માટે એક દુખદાયક સમાચાર આવ્યાં છે. બોલિવુડની અનેક ફિલ્મો અને જાણીતી સીરિયલ મન કી આવાજ પ્રતિજ્ઞામાં ઠાકુર સજ્જનસિંહનો રોલ કરનારા એક્ટર અનુપમ શ્યામનું નિધન થયું છે તેઓ ઘણા સમયથી બીમાર હતા. મલ્ટિપલ ઓર્ગન ફેલિયરના કારણે તેમનું 63 વર્ષની ઉંમરે મોત થયું છે.

થોડા સમય પહેલા તેમની તબિયત લથડી હતી તે સમયે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યાં હતા. રિપોર્ટ્ પ્રમાણે અનુપમ શ્યામ સ્ટાર ભારતના શો પ્રતિજ્ઞાની બીજી સીઝનનું શૂટિંગ કરી રહ્યાં હતા, તે સમયે જ બીમીરીની ઝપેટમાં આવી ગયયા હતા. મુંબઈની લાઈફ લાઈન હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી.

ગુજરાતી એક્ટર મનોજ જોશી, ડાયરેકટર અર્જુન પંડિત સહિત અનેક લોકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.તેમણે દસ્તક, હજાર ચૌરાસી કી માં, દુશ્મન, સત્યા, દિલ સે, જખ્મ, સંઘર્ષ, લગાન, નાયક, શક્તિ, પાપ, જિજ્ઞાસા, રાજ, વેલડન, વોન્ટેડ, કજરારે અને મુન્ના માઈકલ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતુ

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch