દાહોદઃ એસીબીની ઝપેટમાં સતત સરકારી બાબુઓ આવી રહ્યાં છે. લોકો હવે જાગૃત થઇ રહ્યાં છે જેથી લાંચ લેતા પહેલા વિચારજો બાબુઓ. ત્રણ દિવસ પહેલા રાજકોટમાં મહિલા કોન્ટેબલ લાંચ લેતા ઝડપાયા હતા અને હવે દાહોદમાં મંથનકુમાર જીવાભાઇ પરમાર ઉ.વ-31, નાયબ મામલતદાર, સર્કલ ઓફીસર સુખસર મામલતદાર કચેરી, ફતેપુરા 5,000 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે.
ફરીયાદીને દારપણાના દાખલાની જરૂરીયાત હોવાથી ફરીયાદી મામલતદાર કચેરી ફતેપુરા ખાતે જઇને અરજી આપી હતી. ફરીયાદીના કાકાના છોકરાના નામે મિલકત આવેલી હોવાથી તેમના નામની અરજી તૈયાર કરાવી હતી. ફરીયાદીએ અરજી માલતદાર કચેરીની ટપાલ શાખામાં તા.25-10-2024ના રોજ આપી હતી. એક મહીનાનો સમય થતા દારપણાનો દાખલો ન મળતા ફરીયાદી મામલતદાર કચેરીમાં સર્કલ ઓફીસર મંથનભાઇને મળતા તેમને જણાવ્યું હતું કે અરજીના કાગળો કંઇક મુકાઇ ગયેલ છે. જે શોધી કાઢી તમને જણાવીશ.
ત્યારબાદ 7-1-2025 ના રોજ મામલતદાર કચેરી ફતેપુરા ખાતે અરજીમાં સુધારો કરવાનો હોવાથી નવેસરથી 50 રૂપિયાનો સ્ટેમ્પ કરીને અને 5000 સાથે લાવવા જણાવ્યું હતું. આ રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં સંપર્ક કર્યો હતો. ફરિયાદને આધારે એસીબીએ લાંચનું છટકું ગોઠવીને સર્કલ ઓફિસરને મામલતદાર કચેરી ફતેપુરાના ભોય તળીયે આવેલી ઓફીસની અંદર લાંચ લેતા ઝડપી લીધા હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ભાવનગરના પાવઠી ગામે કાર લોક થઈ જતાં ગૂંગળામણના કારણે સગા ભાઈ-બહેનના મોત | 2025-07-16 11:31:00
મહારાષ્ટ્રઃ પરભણીમાં ચાલતી બસ મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ બારીમાંથી બહાર ફેંકી દીધું - Gujarat Post | 2025-07-16 10:04:03
ચેતવણી જનક કિસ્સોઃ જેતપુરમાંથી વિધર્મી યુવક યુવતીનું અપહરણ કરીને હૈદરાબાદ લઈ ગયો, નિકાહ કરી અત્યાચાર ગુજાર્યો - Gujarat Post | 2025-07-16 09:55:33
સુરતમાં પાટીદાર શિક્ષિકાના આપઘાત મામલે થયો મોટો ખુલાસો, મૃતકના પિતાને પણ આપી હતી ધમકી | 2025-07-16 09:46:37
ગાઝામાં હમાસ છેલ્લા શ્વાસ ગણી રહ્યું છે, ઇઝરાયલના તાજેતરના હવાઈ હુમલામાં ફરી 93 લોકોના મોત | 2025-07-16 09:12:28
પુત્રના મોહમાં ક્રૂર બન્યો પિતા, કપડવંજમાં સાત વર્ષની જીવતી દીકરીને કેનાલમાં ફેંકી દીધી | 2025-07-15 14:53:52
સાબર ડેરી સામે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે ટીયર ગેસના છેડ છોડ્યાં હતા, એક પશુપાલકનું મોત- Gujarat Post | 2025-07-15 09:46:59
વધુ એક દુર્ઘટના, માંગરોળના આજક ગામે બ્રિજ તૂટ્યો, 8 જેટલા લોકો નદીમાં પડ્યાં બાદ બચાવ- Gujarat Post | 2025-07-15 09:44:30